બનાસકાંઠા સહિત ઉત્તર ગુજરાતના ખેડૂતો પર આવી મહા મુસીબત : કેનાલને લઇ આવ્યા માઠા સમાચાર

- Advertisement -
Share

બનાસકાંઠા જિલ્લામાં સરહદી વિસ્તાર ગણાતા વાવ, થરાદ, સુઈગામ, ભાભર તાલુકામાં નર્મદા કેનાલમાં સિંચાઈનું પાણી બંધ કરવાનું સરદાર સરોવર નર્મદા નિગમ દ્વારા નિર્ણય કરાતા ધરતી પુત્રોમાં ચિંતા ફરી વળી છે.

બનાસકાંઠા જિલ્લામાં ચોમાસાના સમયમાં નજીવો વરસાદ થતા બનાસકાંઠા જિલ્લાના જીવા દોરી સમાન ગણાતા ત્રણેય જળાશયોમાં જળાશયોના તળિયા દેખાતા બનાસકાંઠા જિલ્લામાં ચાલુ વર્ષે સિંચાઇ માટે પાણી મળી શકે તેમ નથી તેમજ દિવસેને દિવસે બનાસકાંઠા જિલ્લામાં જમીનના તળ ઉંડા જઈ રહ્યા છે જેના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા છે તો બીજી તરફ સરદાર સરોવર નર્મદા નિગમ દ્વારા સરહદી વિસ્તાર ગણાતા થરાદ, સુઈગામ, ભાભર, વાવ સહિતના તાલુકામાંથી પસાર થતી નર્મદા કેનાલમાં સિંચાઈનું પાણી બંધ કરવાનો નિર્ણય લેવાતા ધરતીપુત્રો ચિંતીત બન્યા છે.

File Photo

તેમજ પાણીની તંગી હોવાના કારણે વાવ, થરાદના ધારાસભ્ય સહિત રાષ્ટ્રીય કિસાન સંગઠન દ્વારા સિંચાઇનું પાણી ચાલુ કરવા માટે ઉગ્ર માંગ કરાઈ હતી. તેમજ બનાસકાંઠા જિલ્લામાં ઉનાળાનું વાવેતર કરતાં સમયે જ સિંચાઈના પાણી માટે સર્જાઇ રહી છે તંગી. તેમજ સરદાર સરોવર નર્મદા નિગમ દ્વારા સરહદી વિસ્તારમાં સિંચાઈ માટે કેનાલમાં પાણી બંધ કરવાનો નિર્ણય કરાતા બાજરી જુવાર મગફળી સહિતના પાકોને પાણી ન મળવાના કારણે પાક નષ્ટ થવાની સંભાવના સેવાઈ રહી છે અને બનાસકાંઠા જિલ્લાના જીવાદોરી સમાન ગણાતા ત્રણ જળાશયોમાં તળિયા દેખાઈ રહ્યા છે તો બીજી તરફ નર્મદાની કેનાલમાં આજે સાંજ પછી પાણી બંધ કરવાથી ખેડૂતોને ભારે મુશ્કેલી સર્જાઇ શકે તેમ છે.

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!