ધાનેરા ખાતે આવેલ મધુસુદન રેસીડેન્સી ગટર લાઇનમાં ગટર ચોકઅપ થઈ જતા ગંદુ પાણી રોડ પર રેલાતા હોવાથી સ્થાનિક લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા. સતત રજૂઆત કરવા છતાં સમસ્યાનો કોઇ જ નિરાકરણ ન આવતા સ્થાનિક લોકોમાં રોષ જોવા મળ્યો હતો અને જો તેનું નિરાકરણ તાત્કાલિક નહીં કરવામાં આવે તો આગામી સમયમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી અને પાલિકાની ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે.
ધાનેરાની મધુસુદન રેસિડેન્સીમાં ગટર લાઈન લાઈનઅપ કર્યા વગર નાખવાથી ચોકઅપ થાય છે. ગટર લાઈન ચોકઅપ થતા ગંદુ પાણી રોડ પર રેલાતા સ્થાનિક રહીશોમાં ભારે મુશ્કેલીમાં મુકાયા. અનેકવાર લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરવા છતાં કોઇ જ નિરાકરણ આવ્યું નથી.
જેથી આજરોજ સ્થાનિક લોકોમાં ભારે રોષ ફેલાયો હતો. સ્થાનિક મહિલાઓ દ્વારા રામધૂન બોલાવી પાલિકાના કામ બાબતે વિરોધ નોંધાવ્યો હતો અને જો બે દિવસમાં સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો આગામી વિધાનસભા અને પાલિકા ચૂંટણીનો બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે.
From – Banaskantha Update