પાટણના સાંતલપુરની સગીરાનું અપહરણ કરી ત્રણ નરાધમોએ દુષ્કર્મ આચર્યું

- Advertisement -
Share

પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં રહેતી સગીરાને ત્રણ નરાધમોએ ગાડીમાં બેસાડી નર્મદા કચ્છ કેનાલ પર લઈ જઇને સગીરા ઉપર દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી. પોલીસે ગણતરીના કલાકોમાં ત્રણેય આરોપીઓને ઝડપી લીધા.

 

સાંતલપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં રહેતી સગીરા પર ત્રણ નરાધમઓ નહેરમાં ફેકી દેવાની અને જાનથી મારી નાખવાની ધમકી આપી દુષ્કર્મ ગુજારી સગીરાને કેનાલ ઉપર છોડીને ભાગી ગયા હતા. સગીરાએ ઘરે આવીને પરિવારજનોને જાણ કરતાં સગીરાના પિતાએ સાંતલપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

સગીરા પર દુષ્કર્મની ઘટનાને લઈને રાધનપુર ડીવાયએસપી હરદેવસિંહ વાઘેલા દ્વારા આ મામલાની તપાસ સાંતલપુર પોલીસ સ્ટેશનેના પીઆઈ ચિરાગ ગોસાઈને તપાસ સોંપવામાં આવી છે. સાંતલપુર પોલીસે પર આ ઘટનાની ઝીણવટ ભર્યી તપાસ શરૂ કરી છે.

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!