મહા સુદ આઠમ એટલે કે આઇ શ્રી માં ખોડીયારની જન્મ જયંતિની ડીસામાં ભક્તિભાવપૂર્વક ઉજવણી કરાઇ હતી. જેમાં માતાજીના દર્શન અને પ્રસાદનો લાભ લેવા માટે મોડી સાંજ સુધી દર્શનાર્થીઓની કતારો લાગી હતી.
ડીસા શહેરના વિ.જે. પટેલ શાકમાર્કેટ સામે આવેલ શ્રી ખોડીયાર માતાજીના મંદિરે મંગળવારે ખોડીયાર માતાજીની આઠમ હોવાથી વહેલી સવારથી જ શહેરીજનો અને ગ્રામ્ય વિસ્તારના લોકો બાધા-આખડી પૂર્ણ કરવા અર્થે તલની સાની અને લાપસી તેમજ નારીયેળનો પ્રસાદ ધરાવતા હતા.
જ્યારે શ્રી ખોડીયાર યુવા મિત્ર મંડળ દ્વારા ભક્તજનો માટે 251 કિલોથી વધુ લાપસી પ્રસાદ વહેંચવામાં આવી હતી. મોડી સાંજ સુધી દર્શનાર્થીઓની કતારો જોવા મળી હતી.
ડીસા શહેર દક્ષિણ પોલીસ દ્વારા ટ્રાફીક ડાયવર્ટ કરી દિવસભર બંદોબસ્ત જાળવ્યો હતો. જો કે, કોરાનાની મહામારીના કારણે સોશિયલ ડીસ્ટન્સ જાળવી ભક્તજનોએ દર્શન અને પ્રસાદનો લ્હાવો લીધો હતો.
From-Banaskantha update