વાવમાં 60 બેડનું કોવિડ સેન્ટર સરકારી વિનયન કોલેજમાં શરૂ કરાશે : જિલ્લા કલેકટરએ મુલાકાત લીધી

- Advertisement -
Share

કોરોના કહેર વચ્ચે હોસ્પિટલોમાં દર્દીઓ માટે જગ્યા મળતી નથી. બનાસકાંઠામાં પણ કોરોના દર્દીઓને બેડ મળતા નથી. જેને લઈ વાવના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ રાજ્યમંત્રી શંકરભાઇ ચૌધરીની રજૂઆતને વહિવટી તંત્રને ધ્યાને લઇ વાવમાં પણ 60 બેડનું કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવી રહ્યું છે.

 

શંકરભાઇ ચૌધરીએ તાજેતરમાં કલેકટરને પત્ર લખી વાવ અને સુઇગામ જેવા સરહદી તાલુકાઓમાં કોરોનાની સારવાર માટેની હોસ્પિટલ સુવિધા ઉપલબ્ધ નથી. આ સંજોગોમાં આ વિસ્તારના કોરોનાના સંક્રમિત દર્દીઓને સારવાર માટેની સુવિધા નજીકમાં જ ઉપલબ્ધ કરવા લેખિત રજૂઆત કરી હતી.

 

 

જેને લઈ જિલ્લા કલેકટર આનંદ પટેલ, ડીડીઓ, નાયબ કલેકટર, થરાદ, સુઇગામ, જિલ્લા ભાજપ પ્રમુખ ગુમાનસિંહ ચૌહાણ, વાવ મામલતદાર, વાવ તાલુકા વિકાસ અધિકારી દ્વારા સોમવારે વાવ ખાતે આવી સરકારી વિનયન કોલેજની મુલાકાત લઇ 60 બેડની કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવશે.

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!