પાલનપુરમાં કોરોનામાં મૃત્યુ પામનારના સ્વજનોને રૂ. 4 લાખની સહાય અપાવવા જીલ્લા કોંગ્રેસના કાર્યકરોએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું

- Advertisement -
Share

 

એક તરફ કોરોનાની ત્રીજી લહેર જોવા મળી રહી છે. કોરોના કેસ વધી રહ્યા છે. તો બીજી તરફ કોરોનાની પહેલી અને બીજી લહેરમાં મૃત્યુ પામનારને સરકાર દ્વારા સહાયની જાહેરાત કરાઇ હતી.

 

 

પરંતુ પૂરતી સહાય ન આપતાં જીલ્લા કોંગ્રેસ દ્વારા સોમવારે પાલનપુરમાં ધરણાં યોજી રેલી સ્વરૂપે આવેદનપત્ર આપ્યું હતું.

 

 

દેશભરમાં કોરોનાના કહેરમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા હતા અનેક ઘરોના પરિવારે ઘરના મોભી ગુમાવ્યા હતા. પરિવારો બેસહાય બની ગયા હતા.

 

 

ત્યારે સરકાર દ્વારા આવા પરિવારોને રૂ. 4 લાખની સહાય આપવાની જાહેરાત કરાઇ હતી. જો કે, હજુ ઘણા પરિવારોને માત્ર રૂ. 50,000 ની જ સહાય ચૂકવાઇ છે.

 

સરકાર દ્વારા રૂ. 4 લાખની સહાય આપવા માટેની જાહેરાત હતી. પરંતુ આ પૂરતી સહાય ન ચૂકવાતા હવે કોંગ્રેસ જેમને પૂરતી સહાય ચૂકવવામાં આવી નથી તેમની વ્હારે આવી છે.

 

કોંગ્રેસ દ્વારા સોમવારે બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુર જીલ્લા કોંગ્રેસ પ્રમુખ, ધારાસભ્યો સહીત કાર્યકરો દ્વારા સરકાર સામે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.

 

જ્યારે કલેક્ટર આનંદ પટેલને આવેદનપત્ર આપી કોરોનામાં મૃત્યુ પામનાર લોકોના પરિવારજનોને પૂરતી સહાય આપવામાં આવે તેવી માંગ કરી હતી.

 

 

 

From-Banaskantha update

 

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!