દાંતીવાડાના ધાનેરી ગામે આજે દલિત સમાજમાં એક આધેડનું મોત થતા તેની અંતિમ યાત્રા ટ્રેકટરમાં લઇ મૃતદેહને અંતિમ સંસ્કાર માટે સ્મશાન ભૂમિ જતા કેટલાક અસામાજીક તત્વોએ મૃતકના મૃતદેહને સ્મશાન ભુમી જતા અટકાવ્યા હોવાના આક્ષેપ કર્યા હતા. આ ઘટનાને લઈ દલિત સમાજમાં ભારે રોષ ફેલાયો હતો તાત્કાલિક દાંતીવાડા પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી વધુ તપાસ હાથ ધરી હતી.
બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકાના ધાનેરી ગામે આજે દલિત સમાજમાં એક આધેડનું મોત થયું હતું જે બાદ આજે દલિત સમાજના લોકો મૃતદેહને ટ્રેકટર મારફતે સ્મશાન ભૂમિ લઈ જઇ રહ્યા હતા.
તે દરમિયાન કેટલાક અસામાજીક તત્વો દ્વારા મૃતદેહ સહિત સ્વંજનોને સ્મશાન ભૂમિ જતા અટકાવ્યો હોવાના આક્ષેપ કર્યા હતા. મૃતદેહને અંતિમ સંસ્કાર માટે સ્મશાન ભૂમિ જતા અટકાવતા દલિત સમાજના લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. જે બાદ તાત્કાલિક દાંતીવાડા પોલીસને જાણ કરતા દાંતીવાડા પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને મામલો થાળે પાડ્યો હતો.
From – Banaskantha Update