યાત્રાધામ અંબાજીમાં મંગળવારે એક એનઆરઆઇ માઇભક્તે 100 ગ્રામ સોનું ભેટ આપ્યું હતું. અંબાજી મંદિરને સુવર્ણથી મઢવા માટે હાકલ કરવામાં આવી છે. જે અંતર્ગત આ સોનું અપાયું હતું. જો કે, માઇભક્તે પોતાનું નામ જાહેર કર્યું ન હતું.
યાત્રાધામ અંબાજી મંદિરને સંપૂર્ણ સુવર્ણમય બનાવવા માટે કામગીરી હાથ ધરવામાં આવી છે. જેને સરકાર દ્વારા તાજેતરમાં મંજૂરી અપાઇ હતી. જે અંતર્ગત એક એનઆરઆઇ માઇભક્તે મંગળવારે રૂ. 4,90,000 નું 100 ગ્રામ સોનું ભેટ ધર્યું હતું.
આ અંગે મંદિર ઇન્સ્પેકટર સતિષભાઇ ગઢવીએ જણાવ્યું હતું, ‘એનઆરઆઇ પરિવાર દ્વારા માતાજીની પૂજા-અર્ચના કર્યાં પછી સોનું ભેટ અપાયું હતું. દરમિયાન મંગળવારે મંદિર દર્શન માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. જ્યાં માઇભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી.’
From-Banaskantha update