પાલનપુરમાં કિશન ભરવાડની હત્યા મામલે ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

- Advertisement -
Share

 

ધંધુકામાં હત્યાના અને રાધનપુરના શેરગઢમાં યુવતી પર કરાયેલ જીવલેણ હુમલાના પ્રત્યાઘાત સમગ્ર દેશમાં જોવા મળી રહ્યા છે. ત્યારે બનાસકાંઠા જીલ્લામાં પણ આ હુમલાને લઇને સમગ્ર હીન્દુ સંગઠનોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.

 

Advt *T&C apply

બનાસકાંઠા યોજના ગૃપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો.

 

ત્યારે મંગળવારે પાલનપુરમાં વિવિધ સંગઠનો દ્વારા રેલી અને અલગ-અલગ કાર્યક્રમો યોજી ન્યાયની માંગણી કરવા માટે કાર્યક્રમ યોજાવાનો છે. જેને લઇને કોઇ અનિચ્છનીય ઘટના ન બને તેને લઇને પોલીસ કાફલો ગોઠવાઇ ગયો છે.

 

 

ધંધુકામાં થયેલ કિશન ભરવાડની હત્યા અને રાધનપુરના શેરગઢમાં કરાયેલ યુવતી પર જીવલેણ હુમલાની ઘટનાને પ્રત્યાઘાત સમગ્ર દેશમાં જોવા મળી રહ્યા છે.

 

 

સમગ્ર દેશમાં હીન્દુ સંગઠનો દ્વારા પરિવારને ન્યાય મળે તેને લઇને અલગ-અલગ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. તો ક્યાંક બંધ પાળી તેમનો વિરોધ કરવામાં આવી રહ્યો છે.

 

 

ત્યારે મંગળવારે બનાસકાંઠા જીલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં આવેલ દિલ્હી ગેટ વિસ્તારમાં હીન્દુ સંગઠનો દ્વારા રેલી અને અલગ-અલગ કાર્યક્રમો યોજાવાના છે.

 

 

તેને લઇને હાલ દિલ્હી ગેટ વિસ્તારમાં એલ.સી.બી. સહીત પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુથી પી.આઇ. સહીતનો પોલીસ કાફલો પણ ગોઠવાઇ ગયો છે.

 

 

 

From-Banaskantha update

 

 

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!