લાખણીમાં સંયુક્ત કિસાન મોરચા દ્વારા ‘વિશ્વાસઘાત દિવસ’ કાર્યક્રમ યોજાય તે પહેલાં જ કાર્યકરોની પોલીસ દ્વારા અટકાયત કરાઇ

- Advertisement -
Share

 

લાખણીમાં સંયુક્ત કિસાન મોરચા દ્વારા સોમવારે વિશ્વાસઘાત દિવસ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જો કે, કાર્યક્રમ યોજાય તે પહેલાં રાષ્ટ્ર કિસાન સંગઠનના કાર્યકરોની આગથળા પોલીસે અટકાયત કરી હતી.

 

 

સંયુક્ત મોરચા દ્વારા વિશ્વાસઘાત દિવસનો કાર્યક્રમ આપ્યો હતો. તે અંતર્ગત રાષ્ટ્રીય કિસાન સંગઠન દ્વારા બનાસકાંઠા જીલ્લાના લાખણીમાં કાર્યક્રમ યોજાનાર હતો. તે પહેલાં જ આગથળા પોલીસે રાષ્ટ્રીય કિસાન સંગઠનના 12 જેટલાં કાર્યકરોની અટકાયત કરી હતી.

 

 

આ અંગે દોલાભાઇએ જણાવ્યું હતું કે, ‘સંયુક્ત કિસાન મોર્ચા દ્વારા સોમવારે વિશ્વાસઘાત દિવસનો કાર્યક્રમ આપેલો હતો. રાષ્ટ્રીય કિસાન સંગઠન-બનાસકાંઠા દ્વારા લાખણીમાં કાર્યક્રમ કરવા જતાં રાષ્ટ્રીય કિસાન સંગઠનના 12 જેટલાં કાર્યકરોની આગથળા પોલીસ અટકાયત કરી છે.’

 

 

આજે વર્તમાન સરકારની અંદર લોકશાહી જેવું કશું રહ્યું જ નથી. સરકારે જ્યારે ત્રણ કૃષિ કાયદા પરત ખેંચ્યા અત્યારે ખેડૂતોની માંગણી સાથે કાયદા પરત ખેંચેલા હતા.પરંતુ આજે એ સત્રની અંદર જે પસાર કરવાના હતા. એમ.એસ.પી. કાયદો છે.

 

ખેડૂતોનો જે માત્ર આપવાનું હતું એ બધું ભૂલી અને કાર્યકરોને રાષ્ટ્રીય કિસાન સંગઠન આગેવાન એમના ઉપર દમન કરીને તેમની અટકાયત કરવામાં આવી છે. ખરેખર વર્તમાન સરકારે અહીંયા લોકશાહી જેવું કશું રાખ્યું જ નથી. તે આજે સાબિત થઇ ગયું છે.

 

 

 

 

From-Banaskantha update

 

 

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!