બનાસકાંઠા જીલ્લાના નડાબેટ અને ઝીરો પોઇન્ટ બોર્ડરનો પ્રવાસન સ્થળમાં સમાવેશ થયેલો હોવાથી ભારત અને પાકિસ્તાન બોર્ડર જોવા માટે સમગ્ર ભારતમાંથી હજારો લોકો આવે છે.
જેના માટેનો સૂઇગામથી ઝીરો પોઇન્ટ સુધીનો 26 કિલોમીટરનો રોડ સિંગલ લેન છે. જેને ડબલ લેન કરવા માટે વાવના ધારાસભ્ય ગેનીબેને માર્ગ અને મકાન વિભાગના મંત્રીની રૂબરૂ મુલાકાત કરી રજૂઆત કરી છે.
સૂઇગામ તાલુકાના નડાબેટથી ઝીરો પોઇન્ટ સુધીનો 26 કિલોમીટર રસ્તો હાલ સિંગલ લેન છે. જેમાં નડાબેટનો પ્રવાસન સ્થળમાં સમાવેશ થયેલો છે.
જ્યારે ભારત અને પાકિસ્તાન બોર્ડર જોવા માટે સમગ્ર ભારતમાંથી લોકો હજારોની સંખ્યામાં આવે છે. જેમાં સિંગલ લેન રોડને કારણે શનિવાર અને રવિવારના દિવસે મોટા પ્રમાણમાં ટ્રાફીકજામ થઇ જાય છે.
લોકો 4 કલાકથી વધુ સમય ટ્રાફીકમાં અટવાઇ જાય છે. મોટી વોલ્વો બસો અને પ્રાઇવેટ વાહનો પણ વધારે આવે છે. સરકારી બસો પણ નડાબેટ સુધી જાય છે. ટ્રાફીકના કારણે બસ ઝીરો પોઇન્ટ સુધી જતી નથી.
જે અંગે વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે શુક્રવારે માર્ગ અને મકાન વિભાગના મંત્રી પૂર્ણેશ મોદીની રૂબરૂમાં મુલાકાત કરી રજૂઆત કરી હતી. જેમાં ગેનીબેન ઠાકોરે ડામર રોડની પહોળાઇ ડબલ કરવા રજૂઆત કરી હતી.
From-Banaskantha update