થરાદ તાલુકાના નાગલા ગામના પુલ નજીક મંગળવારે પસાર થતી મુખ્ય નર્મદા કેનાલમાં ટ્રક ખાબકી હતી. જેમાં આજુબાજુના લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા.
જ્યારે લોકોએ થરાદ નગરપાલિકાની ટીમને જાણ કરતાં તાત્કાલીક ઘટનાસ્થળે થરાદ નગરપાલિકાની ટીમ દોડી આવી તપાસ હાથ ધરી હતી. જ્યારે 4 કલાકની ભારે જહેમત બાદ ટ્રકને બહાર કાઢી હતી.
આ અંગેની વિગત એવી છે કે, થરાદ તાલુકાના નાગલા ગામના પુલ નજીક મંગળવારે ટ્રકના ચાલકે સ્ટેયરીંગ પરનો કાબુ ગુમાવતાં ટ્રક પસાર થતી મુખ્ય નર્મદા કેનાલમાં ખાબકી હતી.
જેમાં આજુબાજુના લોકોના ઘટનાસ્થળે ટોળેટોળા ઉમટ્યા હતા. જ્યારે લોકોએ થરાદ નગરપાલિકની ટીમને જાણ કરતાં તાત્કાલીક ઘટનાસ્થળે તરવૈયા સુલતાન મીર દોડી આવી ક્રેનની મદદથી ટ્રકને બહાર કાઢવાની તજવીજ હાથ ધરી હતી.
જ્યારે 4 કલાકની ભારે જહેમત બાદ ટ્રકને બહાર કાઢી હાશકારો અનુભવ્યો હતો. જો કે, સદ્દનસીબે મોટી જાનહાની ટળી હતી.
From-Banaskantha update