સમગ્ર ગુજરાતમાં ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં રાસાયણિક ખાતરના જંગી ભાવ વધારો કરવામાં આવ્યો છે. જેને લઇને ખેડૂતોની કમર તોડી નાખી છે. ત્યારે જગતનો તાત ખેડૂતો પણ ચિંતિત બન્યા છે.
વારંવાર સરકારને ખેડૂતો દ્વારા ભાવ વધારો પરત ખેંચવા માટે રજૂઆત કરાઇ છે. ત્યારે રાસાયણિક ખાતરના ભાવ વધારો પરત ખેંચવા માટે આમ આદમી પાર્ટી પણ મેદાનમાં આવી છે અને મંગળવારે સમગ્ર ગુજરાતમાં આમ આદમી પાર્ટી દ્વારા આવેદનપત્ર આપી સરકારને રજૂઆત કરાઇ છે.
ત્યારે આમ આદમી પાર્ટીના જીલ્લા પ્રમુખ ડો. રમેશભાઇ પટેલની આગેવાનીમાં ડીસા શહેર આમ આદમી પાર્ટી દ્વારા પણ નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત કરાઇ હતી.
આ અંગે આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ સુભાષભાઇ ઠક્કરે જણાવ્યું હતું કે, ‘સરકાર દ્વારા જે રાસાયણિક ખાતરના ભાવમાં જંગી વધારો કરવામાં આવ્યો છે તે તાત્કાલીક અસરથી પરત લેવામાં આવે અને જો સરકાર દ્વારા ભાવ વધારો
પરત ખેંચવામાં નહી આવે તો આમ આદમી પાર્ટી દ્વારા સમગ્ર ગુજરાતમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચિમકી ઉચ્ચારી હતી. નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. ત્યારે આમ આદમી પાર્ટીના હોદ્દેદારો સાથે મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.’
From-Banaskantha update