બનાસકાંઠા જિલ્લાના થરાદની મુખ્ય કેનાલમાં આજે પાણીમાં વહેતું એક નવજાત ભ્રૂણ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. સ્થાનિક લોકોએ નવજાત ભ્રુણને કેનાલમાંથી બહાર નીકાળી થરાદ પોલીસને જાણ કરી હતી.
બનાસકાંઠા જિલ્લામાં અનેકવાર આવા નવજાત ભ્રૂણ મળી આવવાની ઘટના સામે આવતી હોય છે ત્યારે આજે વધું એક થરાદ બાજુથી પસાર થતી મુખ્ય કેનાલમાં વાવના ઢીમા પૂલ પાસે કેનાલમાં વહેતા પાણીમાં નવજાત ભ્રૂણ વહેતુ મળી આવતા સ્થાનિક લોકોએ નવજાત ભ્રૂણને કેનાલમાંથી બહાર નીકાળ્યું હતું અને તાત્કાલિક થરાદ પોલીસને જાણ કરતાં થરાદ પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી.
From – Banaskantha Update