બનાસકાંઠા જીલ્લામાં ફરી એકવાર માવઠાનું સંકટ તોળાઇ રહ્યું છે. ઉત્તર ગુજરાતમાં ફરી કમોસમી વરસાદની આગાહી કરાઇ છે. માવઠાના પગલે ખેતીવાડી અધિકારીએ પણ તકેદારી રાખવા ખેડૂતોને અપિલ કરી છે.
રાજ્યમાં સહીત ઉત્તર ગુજરાતમાં તા. 21 થી તા. 22 દરમિયાન છૂટો છવાયો વરસાદ પડવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. જેના પગલે આગામી દિવસોમાં ખેડૂતોને રવિ પાકોમાં રોગ અને જીવાત સામે રક્ષણ માટે બનાસકાંઠા જીલ્લા ખેતીવાડી અધિકારીએ જરૂરી તકેદારી પગલાં લેવા અપિલ કરી છે.
ખેતીવાડી અધિકારીએ માવઠા જેવા વાતાવરણ હોવાના કારણે શાકભાજી, જીરૂ, ધાણા, ઘઉં અને રાયડાના પાકમાં અત્યારે પિયત આપવાનું મુલત્વી રાખવું, વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવી, કાપણી કરેલ પાક
ભીંજાય નહી તે માટે સુરક્ષિત જગ્યાએ રાખવા અને ફૂગજન્ય રોગના લક્ષણો જણાય તો ફૂગનાશક દવાનો કૃષિ યુનિવર્સિટીની ભલામણ મુજબ છંટકાવ કરવા જણાવ્યું છે.
આગાહી બાદ બુધવારથી જ જીલ્લાના વાતાવરણમાં પલ્ટો આવ્યો છે. ખેડૂતો પણ કુદરત સામે લાચાર બન્યા છે. જ્યારે ફરી એકવાર બનાસકાંઠા જીલ્લાના ખેડૂતોના માથે ફરી માવઠાનું સંકટ જોવા મળી રહ્યું છે.
From-Banaskantha update