પાલનપુરમાં આવેલ માન સરોવર નજીક મંગળવારે વહેલી સવારે અગમ્ય કારણોસર રેલ્વે ટ્રેક પર એક યુવકે ટ્રેન નીચે પડતું મૂકી જીવન ટૂંકાવતાં ચકચાર મચી ગઇ હતી. આ બનાવના પગલે ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા. આ અંગે પાલનપુર રેલ્વે પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો છે.
આ અંગેની વિગત એવી છે કે, બનાસકાંઠા જીલ્લામાં આત્મહત્યા અને હત્યાના બનાવમાં દિન-પ્રતિદિન ચિંતાજનક વધારો થઇ રહ્યો છે. ત્યારે બનાસકાંઠા જીલ્લાના પાલનપુરમાં આવેલ માન સરોવર નજીક અગમ્ય કારણોસર એક યુવકે ટ્રેન નીચે પડતું મૂકી જીવનલીલા સંકેલી છે.
જેમાં સદુભાઇ નાથાભાઇ ધ્રાગી મંગળવારે વહેલી સવારે પાલનપુરના માન સરોવર નજીક અગમ્ય કારણોસર ટ્રેન નીચે પડતું મૂકી જીવન ટૂંકાવતાં ચકચાર મચી ગઇ હતી. આ ઘટનાના પગલે ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડયા હતા.
આ ઘટનાની જાણ પોલીસને કરતાં રેલ્વે પોલીસ અને પાલનપુર પોલીસ ઘટનાસ્થળે દોડી આવી તપાસ હાથ ધરી હતી. જ્યારે મૃતકની લાશને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં પી.એમ. અર્થે ખસેડી છે. આ અંગે પાલનપુર રેલ્વે પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
From-Banaskantha update