ડીસાના સાઇબાબા મંદિરમાં ગૃહમંત્રીના જન્મ દિને યજ્ઞ યોજાયો

Share

ગુજરાતના વતની અને દેશના ગૃહમંત્રી અમિત શાહનો શુક્રવારે જન્મ દિવસ છે. ત્યારે ડીસાના ધારાસભ્ય દ્વારા તેમના દીર્ઘાયુ માટે રૂદ્ર યાગ યજ્ઞ અને મહામૃત્યુજય જાપનું આયોજન કર્યું હતું અને ગૃહમંત્રીના દીર્ઘાયુ માટે યજ્ઞમાં આહુતિ આપી હતી.
[google_ad]

 

ડીસા શહેરના સાઇબાબા મંદિરમાં યોજાઇ રહેલો આ યજ્ઞનો હેતુ જાણીને તમે પણ ચોંકી જશો. ડીસાના ધારાસભ્ય દ્વારા ભારતના ગૃહમંત્રી અમિત શાહના જન્મ દિવસ પર વર્ષોથી તેમની દીર્ઘાયુ માટે યજ્ઞનું આયોજન કરવામાં આવે છે. ડીસાના ધારાસભ્ય માટે અમિત શાહ ભગવાન સમાન છે અને એટલાં જ માટે ધાર્મિક યજ્ઞમાં પણ દેવી-દેવતાઓની પ્રતિમા સાથે અમિત શાહની તસવીર મૂકીને યજ્ઞ કરવામાં આવી રહ્યો છે.

[google_ad]

 

તેના પરથી સમજી શકાય છે કે, અમિતભાઇ શાહ પ્રત્યે ડીસાના ધારાસભ્ય કેટલું મહત્વ ધરાવે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ શશીકાન્તભાઇ પંડયાએ ડીસાના સાઇબાબા મંદિરમાં અમિતભાઇ શાહના દીર્ઘાયુ માટે રૂદ્ર યાગ યજ્ઞમાં આહુતિ આપી મહામૃત્યુજયના જાપ કર્યાં હતા.

From – Banaskantha update


Share