બનાસકાંઠા જિલ્લામાં આજે સર્જાયેલા બે અલગ અલગ માર્ગ અક્સમાતમાં કુલ ત્રણ લોકોના મોત નિપજ્યા હતા. પ્રથમ અકસ્માત થરાદ-સાંચોર હાઈવે પર ઈકો કાર અને ટેન્કર વચ્ચે સર્જાયો હતો જેમાં બે લોકોના મોત નિપજ્યા છે. જ્યારે અન્ય એક અકસ્માત વાવ હાઈવે પર ચારડા નજીક જેસીબી અને ટેન્કર અથડાતા એકનું મોત નિપજ્યું હતું.
[google_ad]
થરાદ-સાંચોર હાઈવે પર ઈકો કાર અને ટેન્કર વચ્ચે અકસ્માતઆજે બપોરના સમયે થરાદ-સાંચોર હાઈવે પર માંગરોળ નજીક ઈકો કાર અને ટેન્કર સામસામે ટકરાતા કારમાં સવાર બે લોકોના મોત નિપજ્યા છે. જ્યારે અન્ય લોકોને ઈજા પહોંચતા સારવાર માટે ખસેડવામા આવ્યા હતા.
[google_ad]
વાવ હાઈવે પર ટેન્કર અને જેસીબી વચ્ચે અકસ્માત જિલ્લામાં અકસ્માતની અન્ય ઘટના વાવ હાઈવે પર ચારડા નજીક બની હતી. અહીં ટેન્કર અને જેસીબી વચ્ચે અકસ્માત સર્જાતા એક વ્યકિતનું મોત નિપજ્યું હતું. આમ આજે એક જ દિવસમાં જિલ્લામાં અકસ્માતની બે અલગ અલગ ઘટનાઓમાં કુલ ત્રણ લોકોના મોત નિપજ્યા હતા જ્યારે ત્રણ લોકો ઘાયલ થતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામા આવ્યા છે.
From – Banaskantha Update