થરાદમાં મલુપુરની પરિણીતા પાસે દહેજ માંગી છરી વડે હુમલો કરાતાં ફરિયાદ નોંધાઇ

Share

થરાદના મલુપુર ગામની પરિણીતા પાસે પતિ સહીત સાસરિયાંએ દહેજ બાબતે શારીરિક માનસિક ત્રાસ આપી છરી અને સોટી વડે હુમલો કરી ઘરમાંથી કાઢી મૂકી હતી. આથી પરિણીતાએ થરાદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

[google_ad]

 

આ અંગેની વિગત એવી છે કે, થરાદના મલુપુર ગામની ગીતાબેન માધાભાઈ રબારીએ થરાદ પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, 8 વર્ષ પહેલાં તેણીના લગ્ન મલુપુર ગામના માધાભાઈ રબારી સાથે સાટા પ્રથામાં થયાં હતાં. છેલ્લા 8 માસથી પતિ માધાભાઇ તથા સાસુ સતુબેન,સસરા બાવાભાઈ, નણંદ બબીબેન અને કાકાસસરા ચોથાભાઈ ચેલાભાઈ રબારી સામાન્ય બાબતમાં શારીરિક માનસિક ત્રાસ આપી પરેશાન કરતા હતા.

[google_ad]

 

અને તને કંઈ કામ આવડતું નથી, તારા બાપે કરિયાવરમાં કંઈ આપેલ નથી. તેમ કહી બાપના ઘરેથી રૂ. 1 લાખની માગણી કરતાં હતા. 8 માસ પહેલા તેણીને ઘરમાંથી કાઢી મુક્યા બાદ સમાધાન થતાં ફરી પાછી સાસરે આવી હતી. જ્યાં સોમવારે સવારના સાતેક વાગ્યાના સુમારે તેણી ઘરની સાફ સફાઇ કરતી હતી.

[google_ad]

 

આ વખતે ફરીથી તમામે મળીને ઘરેથી જતી રહે તેમ કહી અપશબ્દો બોલી છરી વડે હુમલો કરતાં જમણા હાથના અંગૂઠા પર ઇજા થવા પામી હતી. અને રૂ.1 લાખ નહીં આવે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પરિણીતાએ થરાદ મથકમાં ફરિયાદ નોંધાવતાં થરાદ પોલીસે તમામ વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી.

 

From – Banaskantha Update


Share