‘ગૌરક્ષાને કોઈપણ ધર્મ સાથે જોડવાની જરૂર નથી, ગાય આ દેશની સંસ્કૃતિ છે’ – અલાહાબાદ હાઇકોર્ટે

Share

ગાયને લઈને અલાહાબાદ હાઈકોર્ટે ટિપ્પણી કરી છે. કોર્ટે કહ્યું કે, ગૌ રક્ષાને કોઈ પણ ધર્મ સાથે જોડવાની જરૂરીયાત છે જ નહીં. ગાયને હવે એક રાષ્ટ્રીય પશુ જાહેર કરી દેવી જોઈએ. કેન્દ્રએ આ મુદ્દે વિચાર કરવાની જરૂરીયાત છે.

[google_ad]

હાઈકોર્ટની સલાહ મુજબ કેન્દ્ર સરકાર સંસદમાં બીલ લાવીને ગાયને રાષ્ટ્રીય પશુનો દરજ્જો આપે. હાઈકોર્ટે ટિપ્પણી કરી છે કે, જ્યારે ગાયનું કલ્યાણ થશે. ત્યારે જ દેશનું કલ્યાણ થશે. ગાય ભારતીય સંસ્કૃતિનો મહત્ત્વનો ભાગ છે. સંસદ જે પણ કાયદો બનાવે તેના પર સરકાર કડકપણે અમલ પણ કરાવે.

[google_ad]

 

બુધવારે જાવેદ નામના શખ્સની અરજીને ફગાવાત જસ્ટિસ શેખરકુમાર યાદવે આ ટિપ્પણી કરી છે. જાવેદ પર ગૌ હત્યા રોકથામ અધિનિયમની કલમ 3,5 અને 8 અંતર્ગત આરોપ લાગેલા છે. કોર્ટે અરજદારની અરજી ફગાવતા કહ્યું કે, ગૌ રક્ષા માત્ર કોઈ એક ધર્મની જવાબદારી નથી. ગાય આ દેશની સંસ્કૃતિ છે અને તેની સુરક્ષા દરેક લોકોની જવાબદારી છે. તે પછી તમે કોઈ પણ ધર્મ સાથે સબંધ કેમ ન રાખતા હોવ.

[google_ad]

 

હાઈકોર્ટની 7 મોટી વાત
(1) મૌલિક અધિકાર માત્ર ગૌ માંસ ખાનારાઓનો જ નથી પરંતુ જેઓ ગાયની પૂજા કરે છે અને આર્થિક રીતે ગાય પર નિર્ભર છે તેમની પાસે પણ છે.
(2) જીવનનો અધિકાર મારવાથી વધુ છે અને ગૌ માંસ ખાવાના અધિકારને ક્યારેય પણ મૌલિક અધિકાર ન ગણાવી શકાય.
(3) ગાય વૃદ્ધ અને બીમાર હોય તો પણ ઉપયોગી છે. તેનું ગોબર અને મૂત્ર કૃષિ, દવા બનાવવા અને સૌથી મહત્ત્વનું એ ઘણું જ ઉપયોગી છે.
(4) એવું નથી કે માત્ર હિંદુ જ ગાયને મહત્વને સમજે છે. મુસલમાનો પણ ગાયને ભારતની સંસ્કૃતિનો એક મહત્ત્વપૂર્ણ ભાગ માને છે.
(5) 5 મુસ્લિમ શાસકોએ ગાયના વધ પર પ્રતિબંધ મૂક્યો હતો. બાબર, હુમાયૂં અને અકબર પણ પોતાના ધાર્મિક તહેવારોમાં ગાયની બલી પર રોક લગાવી હતી.
(6) એવા અનેક ઉદાહરણ છે જ્યાં ગૌશાળામાં ગાયની ભૂખ અને બીમારીથી મોત થઈ જાય છે. તેમને ગંદગી વચ્ચે રાખવામાં આવે છે. તેઓ પોલીથીન ખાઈને મરી જાય છે.
(7) આખી દુનિયામાં ભારત જ એક એવો દેશ છે જ્યાં અલગ-અલગ ધર્મોના લોકો રહે છે. જે અલગ-અલગ રીતે પૂજા કરે છે પરંતુ તેમના વિચારો એક જ છે.

[google_ad]

 

જસ્ટિસ શેખરકુમાર યાદવે આ ચુકાદો સંભળાવતા જણાવ્યું હતું કે, સરકારે હવે ગૃહમાં એક બીલ લાવવું જોઈએ. ગાયને પણ મૂળ અધિકારો મળવા જોઈએ. સમય આવી ગયો છે કે, હવે ગાયને એક રાષ્ટ્રીય પશુ જાહેર કરવામાં આવે. જે પણ લોકો ગાયને પરેશાન કરે છે કે તેને નુકશાન પહોંચાડવાનો પ્રયાસ કરે છે તેની વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવી જોઈએ. જજે જોર આપીને જણાવ્યું હતું કે, જ્યાં સુધી દેશમાં ગાયને સુરક્ષિત નહીં રાખવામાં આવે ત્યાં સુધી દેશનો વિકાસ અધૂરો જ રહી જશે.

[google_ad]

 

જસ્ટિસ શેખરકુમાર યાદવે તર્ક આપ્યો કે, ભારત જ એક દેશ એવો છે. જ્યાં જૂદા-જૂદા ધર્મના લોકો સાથે રહે છે. દરેક લોકો અલગ-અલગ પૂજા કરે છે. તેમ છતાં તમામના દેશ પ્રત્યેના વિચાર એક જેવા જ જોવા મળે છે. એવામાં કોર્ટે અરજદારની અરજી ફગાવતાં કહ્યું કે, કેટલાંક લોકો આવા ગુના કરીને દેશને નબળો કરવાનો પ્રયાસ કરે છે. તેમના વિચાર દેશ હીતમાં હોતા નથી.

[google_ad]

 

અલાહાબાદ હાઈકોર્ટે ગાયની હત્યાના આરોપી જાવેદને જામીન આપવાનો ઇન્કાર કરી દીધો હતો. ન્યાયમૂર્તિ શેખર યાદવની બેચે કહ્યું કે, અરજદારે ગાયની ચોરી કર્યા પછી તેને મારી નાખી હતી. તેનું માથું કાપી નાખ્યું હતું અને તેનું માંસ પણ ખાધું હતું. અરજદારનો આ પહેલો ગુનો નથી. ગુના પહેલાં પણ તેને ગૌ હત્યા કરી હતી. જેનાથી સમાજનું વાતાવરણ બગડયું હતું.

 

From – Banaskantha Update


Share