ડીસા-પાલનપુર નેશનલ હાઇવે ડીસા શહેરના મધ્યમાંથી પસાર થાય છે ત્યારે હાઇવે ઓથોરિટીની નિષ્કાળજી અને બેદરકારીના લીધે ગટરો જર્જરીત અને કચરાના ભરાવાથી ચોકઅપ થતા વરસાદી પાણી હાઇવેની સોસાયટીમાં પ્રવેશતાં સ્થાનિક રહીશો હાલાકી ભોગવી રહ્યાં છે.
[google_ad]
નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા ડીસા શહેરમાંથી પસાર થતાં હાઇવેની બંને સાઇડમાં વરસાદી પાણીના નિકાલ માટે ગટર બનાવી છે. જે ગટર હાલમાં જર્જરીત અને ઠેર-ઠેર તુટી જતા મોટા મોટા ગાબડા પડી ગયા છે. આ ઉપરાંત ગટરમાં કયારેય પણ સાફસફાઇ ન કરાતાં કચરાના ઢગ ખડકાતાં મોટાભાગની ગટરો ચોકઅપ થઇ છે.
[google_ad]
ડીસા શહેરમાં તાજેતરમાં પડેલા એક ઇંચ વરસાદના લીધે વરસાદી પાણીનો નિકાલ ન થતાં હાઇવે પરના જલારામ મંદિર સામે આવેલી ચંદન સોસાયટી, જયલક્ષ્મી સોસાયટી, વિજયપાર્ક સોસાયટી, જંબુદીપ સોસાયટી, શ્રીપાલનગર સોસાયટી, જયપાર્ક સોસાયટી તેમજ પુષ્પાંજલિ સોસાયટીમાં પાણી ભરાયા હતાં. જેથી સ્થાનિક રહીશોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.
[google_ad]
આ અંગે ડીસાના અગ્રણી વેપારી અને જૈન શ્રેષ્ઠી હસમુખભાઈ વેદલીયાએ જણાવ્યું કે, ‘હાઇવે ઓથોરિટીની ગટરોની સાફસફાઇ ન થતાં વરસાદી પાણી ઘરોમાં ઘુસી રહ્યાં છે અને આ અંગે હાઇવે ઓથોરિટી સહિત જિલ્લા કલેકટર તેમજ પાલિકા પ્રમુખને રજૂઆત કરવા છતાં સમસ્યાનો ઉકેલ ન આવ્યો નથી.
[google_ad]
From – Banaskantha Update