કાણોદર પાસે લકઝરી બસ અને ટ્રક વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાતા 3ના ઘટના સ્થળે મોત : 10થી વધુ લોકો ઘાયલ

- Advertisement -
Share

પાલનપુર અમદાવાદ નેશનલ હાઇવે પર આજે વહેલી સવારે કણોદર પાસે લકઝરી બસ અને ટ્રક વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં 3 લોકોના ઘટના સ્થળે મોત થયા હતા. તેમજ 10થી વધુ લોકો ઇજાગ્રસ્ત થતા સારવાર માટે પાલનપુર સિવિલ ખાતે સારવાર માટે ખસેડયા હતા.
બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે આજે વધુ એક બનાસકાંઠા જિલ્લામાં ગોઝારો અકસ્માત સર્જાયો હતો. આજે વહેલી સવારે અમદાવાદ પાલનપુર નેશનલ હાઇવે પર આવેલ કણોદર પાસે આજે રાજસ્થાનના રામસીનથી અમદાવાદ જતી લકઝરી બસ જઈ રહી હતી.
તે દરમિયાન કણોદર પાસે એરંડા ભરેલી ટ્રકની સાથે જોરદાર અથડાતા ગોઝારો અકસ્માત સર્જાયો હતો. અકસ્માતના પગલે વહેલી સવારે ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. અકસ્માતમાં ઘટના સ્થળે ત્રણ લોકોના મોત થયા હતાં. તેમજ 10થી વધુ લપકોને ઇજા થતાં સારવાર માટે પાલનપુર સિવિલ ખાતે સારવાર માટે ખસેડયા હતા. તાત્કાલિક પાલનપુર તાલુકા પોલીસને જાણ કરતા પોલીસની ટિમ પણ ઘટના સ્થળે દોડી આવી રાહતની કામગીરી હાથ ધરાઈ હતી.

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!