S.T બસ અને કાર વચ્ચે અકસ્માત સર્જાતા કારનો ગૂંચડો વળી ગયો : 4ના મોત, પતરાં કાપી મૃતદેહો બહાર કઢાયા

- Advertisement -
Share

છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના છુછાપુરા ગામ નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. મોડી રાત્રે લગભગ 2.30 વાગ્યા આસપાસ એસ.ટી બસ અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં ચાર લોકોનાં મોત નીપજ્યાં હતાં.

[google_ad]

ધડાકાભેર સર્જાયેલા અકસ્માતને પગલે આસપાસથી સ્થાનિકો દોડી આવ્યા હતા, જેમણે બચાવ કામગીરી હાથ ધરી હતી તથા પોલીસને જાણ કરવામાં આવી હતી, જેથી પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી.

[google_ad]

છોટાઉદેપુરના છુછાપુરા પાસે સર્જાયેલા અકસ્માતમાં કારના બોનેટના ભાગે ભારે નુકસાન થયું હતું. આગળનો ભાગ કચડાઈ ગયો હતો, જેથી કારમાં સવાર મૃતકોના મૃતદેહો કાઢવા માટે દરવાજા તોડવાની ફરજ પડી હતી. દરવાજા તોડીને સ્થાનિકોએ મૃતદેહો બહાર કાઢ્યા હતા, સાથે જ રાહત કામગીરી માટે તથા કારને દૂર ખસેડવા માટે જેસીબી મશીનની મદદ લેવી પડી હતી.

[google_ad]

મધ્યપ્રદેશ પાસિંગની (MP 10 CA 6938) હ્યુન્ડાઈ કંપનીની સફેદ કલરની ક્રેટા કારનો મધરાતે એક્સિડન્ટ સર્જાયો હતો, જેમાં મૃતકોમાં મધ્યપ્રદેશના ખરગોન જિલ્લાના આ તમામ મૃતકો હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. પોલીસે ઘટનાસ્થળે વધુ તપાસ હાથ ધરી છે.

[google_ad]


— મૃતકોનાં નામ —

1) પટેલ દિનેશભાઈ

2) ઈશ્વરભાઈ કરશનભાઈ ગુર્જર

3) રાજેશભાઈ દેવરામભાઈ ગુર્જર

4) ગ્યારશીલાલ

[google_ad]

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!