થરાદની નારણદેવી પ્રાથમિક શાળા નજીક સોમવારે આખલાને વીજ કરંટ લાગતાં ક્લાસના આખલાનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. આ ઘટનાના પગલે લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા. જ્યારે સ્થાનિક લોકોએ બનાવ અંગે યુ.જી.વી.સી.એલ.ના અધિકારીઓને જાણ કરતાં તેઓએ વીજ લાઇન બંધ કરી હતી. જ્યારે અન્ય એક આખલો પણ તેની પાસે જતાં મોતને ભેટતાં તેને પણ સ્થાનિક લોકોએ આખલાને દૂર કરી જીવ બચાવ્યો હતો.
[google_ad]
આ અંગેની વિગત એવી છે કે, હાલમાં ચોમાસાની ઋતુ ચાલી રહી છે. ત્યારે વીજ લાઇનમાં કોઇપણ અચાનક ફોલ્ટ સર્જાવાની ઘટના બનતી હોય છે. કોઇક વીજ કરંટ ઉતરતો જણાય છે. ભેજવાળા વાતાવરણના કારણે દુર્ઘટનાઓ બને છે. થરાદની નારણદેવી પ્રાથમિક શાળા નજીક વીજ લાઇન પસાર થાય તેને આખલાએ અડકતાં સોમવારે વીજ કરંટ લાગતાં ક્લાસના આખલાનું ઘટનાસ્થળે મોત નિપજતાં અરેરાટી વ્યાપી ગઇ હતી.
[google_ad]
આ બનાવના પગલે ઘટનાસ્થળે આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. આ બનાવ અંગે યુ.જી.વી.સી.એલ.ના અધિકારીઓને જાણ કરતાં તેઓએ વીજ લાઇન બંધ કરી હતી. જ્યારે સ્થાનિક લોકોએ અન્ય એક આખલાનો પણ જીવ બચાવ્યો હતો.