ડીસામાં ગત મોડી રાત્રે ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ પડતા ક્યાંકને ક્યાંક નુકસાન થવા પામ્યું હતું. ત્યારે ડીસાના વડલી ફાર્મ ખાતે એક ખેડૂતના ખેતરમાં રાત્રે ઘાસના પૂળા ઉપર વીજળી પડતા પૂળા બળીને ખાખ થઈ જતાં ખેડૂતોને મોટું નુકસાન થયું હતું.
[google_ad]
ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં લાંબા વિરામ બાદ ગત મોડી રાત્રે ભારે પવન અને ગાજવીજ સાથે વિરામ બાદ વરસાદ પડતા વરસાદની રાહ જોઈ બેઠેલા ખેડૂતો પણ વરસાદ વરસતા ખુશ થયા હતા તેમજ ભારે ઉકળાટ તેમજ બફારાથી ત્રાહિમામ પોકારી ઉઠેલા લોકો પણ ગત મોડી રાત્રે પડેલા વરસાદથી ઠંડક અનુભવી હતી.
[google_ad]
પરંતુ વરસાદે ક્યાંકને ક્યાંક નુકસાન થવા પામ્યું હતું ત્યારે ડીસાના વડલી ફોર્મ ખાતે રહેતા ચંદુજી નાથજી દરબારના ખેતરમાં ઘાસના પૂળા ઉપર આકાશી વીજળી પડતાં ઘાસના પૂળામાં આગ લાગી હતી. આગ લાગતા ખેડૂત ચંદુજી દરબારનો પરિવાર દોડી આવ્યો હતો અને તાત્કાલિક ફાયર ફાઇટરને જાણ કરતા ફાયર ફાઇટર પણ ઘટના સ્થળે દોડી આવી પાણીનો મારો ચલાવી આગને કાબુ લેવા માટે પ્રયાસ પણ કરાયા હતા. પરંતુ આગ પર કાબુ ન થવાના કારણે 5,000 જેટલા પૂળા બળીને ખાખ થઈ ગયા હતા. ખેડૂત ચંદુજી દરબારને મોટું નુકશાન થવા પામ્યું હતું.
[google_ad]
From – Banaskantha Update