બનાસકાંઠા જિલ્લાના ભાજપના કાર્યકર દિનેશ પ્રજાપતિની રાજ્યસભા માટે નોમિનેટ કરવામાં આવ્યા. ભાજપે ફરી એકવાર સાબિત કર્યું છે કે નિષ્ઠાવાન અને અદના કાર્યકર્તાઓની પાર્ટીમાં કદર કરી તેમને યોગ્ય સ્થાન આપવામાં આવે છે.
ગુજરાત પ્રદેશ બક્ષીપંચ મોરચાના પ્રમુખ અને બૂથ લેવલના કાર્યકર્તા એવા દિનેશ પ્રજાપતિને ભાજપે રાજ્યસભા માટે નોમિનેટ કર્યા છે. છેલ્લાં 40 વર્ષથી ભાજપ માટે કામ કરતા દિનેશ પ્રજાપતિ જિલ્લાથી લઇ રાજ્ય લેવલે અલગ-અલગ ફરજો નિભાવી ચુક્યા છે.
આજે જ્યારે ભાજપે તેમને રાજ્યસભા માટે નોમિનેટ કર્યા છે ત્યારે તેમણે ભાજપના તમામ આગેવાનો આભાર માન્યો હતો. જો તે રાજ્યસભાની ચૂંટણી જીતે તો આગામી સમયમાં બનાસકાંઠાના પ્રાણ પ્રશ્નો તેમજ ઉત્તર ગુજરાતના પ્રશ્નોને વાચા મળે તે માટે કામ કરશે.
From – Banaskantha Update