બનાસકાંઠા જિલ્લા પોલીસને મંદિર ચોરીના ગુન્હાઓમાં મોટી સફળતા હાથ લાગી. પોતાની સાથે ધજા રાખી પગપાળા યાત્રાળુઓ બની રાત્રિના સમયે મંદિરમાં રોકાઈ જઈ ચોરી કરવાની મોડસ ઓપેરેન્ડી ધરાવતી ગેંગને પોલીસે ઝડપી પાડી. ગુજરાત ભરમાં 92 મંદિર ચોરીના ભેદ ઉકેલ્યા છે અને ઝડપાયેલા ત્રણેય શખ્સો પાસેથી સોનું ચાંદી અને રોકડ સહિત લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી.
[google_ad]
બનાસકાંઠા સહિત સમગ્ર ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી મંદિરની ચોરીઓમાં નોંધપાત્ર વધારો થઇ રહ્યો હતો જેથી બનાસકાંઠા જિલ્લાની LCBની ટીમ તેમજ સ્થાનિક પોલીસ પણ સતર્ક રહી તસ્કરોની શોધખોળ કરી રહી હતી. તે દરમિયાન જિલ્લા એલ.સી.બીની ટીમ અને દાંતીવાડા પોલીસ દાંતીવાડાની બી.એસ.એફ કોલોની પાસે હતી.
[google_ad]
તે સમયે 3 ઈસમો શંકાસ્પદ હાલતમાં જણાતા તેમની પૂછપરછ શરૂ કરી હતી તે દરમિયાન તેમની પાસેથી પાના, પકડ તેમજ પાઇપ જેવી ચીજ વસ્તુઓ જણાતા જ પોલીસને તેમના પર શંકા ગઈ હતી અને તેઓની કડક પુછપરછ કરતા તેઓએ ચોરી કરતા હોવાનું જણાવ્યું હતું.
[google_ad]
જેથી પોલીસે અશોક બેચરભાઈ પંચાલ, બહાદુર જેણુભા વાઘેલા અને સંજય મહેશભાઈ સેધમા નામના ત્રણેય શખ્સોની અટકાયત કરી તપાસ કરતા આ શખ્સો રાત્રિના સમયે ધજા સાથે રાખી પગપાળા યાત્રાળુઓ બનીને અલગ અલગ મંદીરોમાં રોકાઈ જતા હતા અને મોડી રાત્રે મંદિરમાંથી ચોરી કરી ફરાર થઈ જતા હોવાનું જણાયું હતું.
[google_ad]
આ ત્રણેય તસ્કરોએ અત્યાર સુધી ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં 92 જેટલા મંદિરોમાં ચોરી કરી હોવાનું કબૂલ્યું હતું. જેથી પોલીસે આ ત્રણેય શખ્સોની અટકાયત કરી તેમની પાસેથી સોનું – ચાંદી તેમજ રોકડ સહિત લાખો રૂપિયાનો મુદ્દામાલ પણ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.
[google_ad]
From – Banaskantha Update