વાવના સરહદી રાછેણા ગામની સીમમાં આવેલ શિડિયા ગોગ મહારાજના મંદિરમાં મંગળવારે ધોળા દિવસે તસ્કરો હાથફેરો કરી ચાંદીના છત્તર ચોરી ગયા હતા. આ ઘટનાને લઇ સમગ્રપંથકમાં ચકચાર મચી હતી.
[google_ad]
વાવના સરહદી રાછેણા ગામની સીમમાં આવેલા શિડિયા ગોગ મહારાજના મંદિરને મંગળવારના દિવસે તસ્કરોએ નિશાન બનાવી તાળું તોડી અંદર પ્રવેશ કરી મંદિરમાંથી આશરે 6થી 7 કિલો ચાંદીના છતર સહિતના મુદામાલની ચોરી કરી ગયા હોવાનું ગામલોકોએ જણાવ્યું હતું.
[google_ad]
સાંજના સમયે મંદિરના પૂજારી ભૂરાજી મહારાજ પૂજા કરવા આવતાં તાળું તૂટેલ હોઈ ગામલોકો, સરપંચને જાણ કરતા લોકો ઘટના સ્થળે દોડી આવી પોલીસને જાણ કરી હતી.
[google_ad]
From – Banasakantha Update