ધાનેરા ખાતે આવેલ શ્યામ પ્રસાદ મુખર્જી શોપિંગ ગંદકીમાં ગરકાવ

- Advertisement -
Share

ધાનેરા ખાતે આવેલ શ્યામ પ્રસાદ મુખર્જી શોપિંગમાં મુતરડીમાં સફાઈ ન થતાં તેમજ તેમાં પાણી ના આપતા આ શોપિંગના વેપારીઓ તેમજ લોકોને ભારે હાલાકી પડી રહી છે તેમજ સફાઈ ન થતા મુતરડીની દુર્ગંધથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે.

[google_ad]

બનાસકાંઠા જીલ્લો એ ભાજપનું ગઢ છે. પરંતુ ભાજપનું સાસન હોવા છતા લોકોના વિકાસના કામો ન થતા હવે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. એવા લોકો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે ધાનેરા ખાતે ભાજપ શાસન છે પરંતુ ધાનેરામાં ભાજપનું શાસન હોવા છતાં પણ ધાનેરાના લોકો વિકાસથી વંચિત છે.

[google_ad]

ધાનેરા ખાતે આવેલ શ્યામ પ્રસાદ મુખર્જી શોપિંગ એ ધાનેરા નગરપાલિકા દ્વારા બનાવવામાં આવ્યું છે. આ શોપિંગ સેન્ટરની હાલત ખૂબ ખરાબ છે. આ શોપિંગમાં મુતરડી આવેલી છે તેમાં કોઈ સફાઈ થતી નથી તેમજ પેશાબ નીકાળવા માટે કોઈ જ વ્યવસ્થા કરવામાં આવી નથી જેના કારણે ગંદકીના લીધે ભારે દુર્ગંધ આવાથી લોકો તેમજ વેપારીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.

[google_ad]

તેમજ આ શોપિંગ સેન્ટરમાં સમારકામ પણ સારી રીતે ન કરવાથી તે પણ જર્જરીત છે તેમજ શોપિંગનું તળિયું પણ તૂટી જવા પામ્યું છે. સ્થાનિક વેપારીઓ તેમજ જાગૃત નાગરિક દ્વારા અનેક વાર લેખિત તેમજ મૌખિક રજુઆત કરવા છતાં પણ આજદિન સુધી ધાનેરા નગરપાલિકા દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી નથી તેવા લોકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે.

 

[google_ad]

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!