પાટણના એક ગામમાં રહેતી 18 વર્ષિય દીકરી ઉપર તેના સાવકા પિતાએ નજર બગાડી હતી. પરંતુ માતાને જાણ થતાં કોઇ અધટીત ઘટના ઘટે તે પહેલા 181 અભ્યમની ટીમને જાણ કરતા બચાવી લઈ સુરક્ષિત સ્થળે મુકવામાં આવી હતી.
[google_ad]
પાટણ 181 અભ્યમ મહિલા હેલ્પલાઇનના કાઉન્સેલર આરતીબેન ઠાકોરે જણાવ્યું હતું કે, એક ગામમાં રહેતા મહિલાના લગ્ન અગાઉ તેમના સમાજના યુવક સાથે થયા હતા.જેમના લગ્ન જીવન દરમિયાન એક પુત્રીનો જન્મ થયો હતો. જોકે, પતિ સાથે મનમેળ ન આવતાં છુટાછેડા લીધા હતા.
[google_ad]
[google_ad]
દીકરી 5 વર્ષની હતી. ત્યારે અન્ય યુવક સાથે પ્રેમલગ્ન કરી તેની સાથે રહેતા હતા. સમય જતાં દીકરી અત્યારે 18 વર્ષની થઇ છે. જોકે, આ સાવકો પિતા દીકરી પ્રત્યે ભાન ભૂલી નરાધમ બની પુત્રી ઉપર ખરાબ દ્રષ્ટી રાખતો હતો.અવાર-નવાર શારીરિક અડપલાં સહિત તેણીની સાથે અણછાજતો વર્તાવ કરતાં દીકરી મનોમન મુંઝાતી હતી.
[google_ad]
આખરે હિંમત કરી પાટણ 181 અભ્યમની મદદ માંગી હતી. આથી મહિલા પોલીસ કોન્સ્ટેબલ લક્ષ્મીબેન જોષી સાથે તેના ઘરે ગયા હતા. જ્યાં તેનો સાવકો પિતા હાજર ન હતો. મળ્યો પરંતુ માતાને ભયાનક પરિણામો વિશે સમજાવ્યા હતા.
[google_ad]
[google_ad]
181 અભિયમની ટીમ સમક્ષ યુવાન પુત્રીએ જણાવ્યું હતું કે, સાવકો પિતા તેના ઉપર ખરાબ દ્રષ્ટી રાખે છે. તેમજ માતા પણ અણછાજતું વર્તન રાખે છે. જેથી હવે માતા- પિતા સાથે રહેવું નથી. આથી ટીમે તેણીને પાટણમાં સુરક્ષિત સ્થળે મુકવામાં આવી હતી.
[google_ad]
[google_ad]
પાલનપુર 181 અભિયમ કાઉન્સેલર જીનલબેન પરમારે જણાવ્યું કે, પાલનપુરના કરજોડા ગામે માતા તરછોડીને ચાલ્યા ગયા બાદ સાવકા પિતાએ 13 વર્ષની સગીર દીકરી ઉપર વારંવાર દુષ્કૃત્ય આચર્યુ હતુ. જેને નરાધમની ચૂંગાલમાંથી છોડાવી હતી. આ શખ્સ જેલમાં છે.
[google_ad]
બનાસકાંઠાના એક ગામમાં રહેતી 17 વર્ષિય સગીરાના પિતાએ અગાઉ લગ્ન કરાવ્યા હતા. જ્યાંથી છુટાછેડા અપાવી મામાએ અન્ય શખ્સને વેચી દીધી હતી. જેણે વારંવાર દુષ્કૃત્ય ગુજાર્યુ હતુ. જોકે, તેણીએ પાલનપુર 181 અભિયમની મદદ લેતાં ચૂંગાલમાંથી છોડાવી હતી.
From – Banaskantha update