થરાદની કેનાલમાં મહીલાએ 4 સંતાનો સાથે કેનાલમાં ઝંપલાવ્યું

- Advertisement -
Share

થરાદ તાલુકાની કેનાલમાં શનિવારે સવારે મહીલાએ અગમ્ય કારણોસર 4 સંતાનો સાથે કેનાલમાં મોતની છલાંગ લગાવી હતી. જેમાં આ ઘટનાની જીવદયાપ્રેમીને જાણ થતાં તેઓએ ડૂબકી મારી 2 બાળકીઓને બચાવની કામગીરી કરી હતી.

[google_ad]

 

આ ઘટનાની જાણ ફાયર-ફાઇટરની ટીમને જાણ કરતાં ટીમ ઘટનાસ્થળે દોડી આવી બચાવની કામગીરી હાથ ધરી હતી. જ્યારે મહીલા અને 2 બાળકોને બહાર નીકાળી પી.એમ. અર્થે થરાદ રેફરલમાં ખસેડાયા હતા. આ અંગે થરાદ પોલીસને જાણ કરતાં પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી વધુ તપાસ હાથ ધરી છે. આ અંગે થરાદ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો છે.

[google_ad]

 

આ અંગેની વિગત એવી છે કે, થરાદ તાલુકાની કેનાલમાં વાવ તાલુકાના ચોથનેસડા ગામની મહીલાએ 4 સંતાનો સાથે શનિવારે સવારે અગમ્ય કારણોસર કેનાલમાં ઝંપલાવતાં અરેરાટી વ્યાપી ગઇ હતી. જેમાં આ ઘટનાની જાણ જીવદયાપ્રેમીને થતાં દોડી જઇ કેનાલમાં ડૂબકી મારી 2 બાળકીઓને બચાવી લીધી હતી. જ્યારે મહીલા અને 2 બાળકોને બહાર કાઢી પી.એમ. અર્થે થરાદ રેફરલમાં ખસેડાયા હતા.

[google_ad]

 

 

મહીલાએ કયા કારણોસર કેનાલમાં ઝંપલાવ્યું તે રહસ્ય અકબંધ રહ્યું છે તે હજુ સુધી જાણી શકાયું નથી. મહીલાએ કયા કારણોથી કેનાલમાં મોતની છલાંગ લગાવી તેને લઇ અનેક તર્ક-વિતર્કો સર્જાયા છે. આ બનાવના પગલે ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા. આ અંગે થરાદ પોલીસને જાણ કરતાં પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. આ અંગે થરાદ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

[google_ad]

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!