ડીસાના રામજી મંદિરના મહંત ગુરુ કૈલાશદાસજીના શિષ્ય એવા મહંત રામદાસજી પ્રહલાદદાસજી સાધુ નાનપણથી તેમની સાથે રહી રામજી મંદિર ખાતે પૂજા અર્ચના કરતા હતા. તેમજ રામજી મંદિર સંભાળતા હતા. છેલ્લા 2 દિવસની માંદગી બાદ શુક્રવારે બપોરે 74 વર્ષે મહંત રામદાસજી પ્રહલાદદાસજી સાધુએ હોસ્પિટલ ખાતે અંતિમ શ્વાસ લીધો હતો.
[google_ad]
આ સમાચાર વાયુ વેગ પ્રસરી જતા તેમના ભગતોમાં શોકની લાગણી પ્રસરી જવા પામી હતી. તેમની અંતિમયાત્રા પાલખીમાં આવતી કાલે સવારે 8 વાગે ડીસાના રામજીમંદિરથી નીકળી વાડી રોડ મુક્તિધામ નીકળશે.
From – Banaskantha Update