પાલનપુર કલેક્ટર કચેરી જીલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર, રીલાયન્સ ફાઉન્ડેશન ગૃપ પાટણના સંયુક્ત ઉપક્રમે અને માં સિદ્ધેશ્વરી માનવ સેવા ગૃપના સહયોગથી રવિવારે અમીરગઢ તાલુકાના ગામોના લોકોને વિનામૂલ્યે માસ્ક અને બિસ્કીટ વિતરણ કરાયા હતા. હાલમાં કોરોના જેવી મહામારી ચાલી રહી છે. ત્યારે આવી ઉત્તમ પ્રવૃત્તિ કરવી ખૂબ જ જરૂરી છે. આ સંપૂર્ણ કામગીરીનું માર્ગદર્શન કલેક્ટર દ્વારા અપાયું હતું.
[google_ad]
[google_ad]
આ કાર્યક્રમમાં રીલાયન્સ ફાઉન્ડેશનના મુકેશભાઇ દેસાઇ, જીલ્લા ડીઝાસ્ટર ઓફીસર સંજયકુમાર ચૌહાણ, જી.એસ.ડી.એમ.એ. ના હીતેશકુમાર બારોટ ,હીતેશભાઈ મેવાડા, કિરણભાઇ ચૌધરી, પાર્થભાઇ રાવલ, બનાસકાંઠા જીલ્લા ભાજપના સચિવ કેદારસિંહ ચૌહાણ, અમીરગઢ ભાજપ સોશિયલ મીડીયાના મેમ્બર વસંતભાઇ, અમીરગઢ ભાજપના મહામંત્રી ચેતનસિંહ અને માં સિદ્ધેશ્વરી માનવ સેવા ગૃપના વિજયભાઈ પલાણીના સહયોગથી કાર્યક્રમ સફળ બન્યો હતો.
[google_ad]
[google_ad]
From – Banaskantha update