ડીસા સહીત સમગ્ર બનાસકાંઠા જીલ્લામાં કોરોના વાયરસને નાથવા માટે લોકોએ 100 ટકા ફરજીયાત રસીકરણ કરાવવું જરૂરી છે. ત્યારે સોમવારે ડીસાના અર્બન-2 માં આરોગ્ય વિભાગ દ્વારા એક અનોખી પહેલ કરવામાં આવી છે. રસી લેવા આવેલ લાભાર્થીઓને એક તુલસીનો છોડ આપી રસીકરણ કરાયું હતું.
[google_ad]
સમગ્ર ભારતભરમાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો હતો. જેના કારણે અનેક લોકોએ કોરોનાના કારણે જીવ પણ ગુમાવ્યા છે. ત્યારે સરકાર દ્વારા કોરોના વાયરસને અટકાવવા માટે લોકો વધુમાં વધુ રસીકરણ કરાવે તેવા આદેશ કરાયા હતા. જે અંતર્ગત હાલમાં સમગ્ર ગુજરાતમાં કોરોના વાયરસની બીજી લહેર બાદ વધુમાં વધુ લોકો વેક્સિન લઇ રહ્યા છે.
[google_ad]
ત્યારે બનાસકાંઠા જીલ્લા આરોગ્ય વિભાગ દ્વારા પણ હાલમાં લોકો વધુમાં વધુ રસીકરણ કરાવે તે માટે અલગ-અલગ કાર્યક્રમો થકી પ્રોત્સાહન પુરૂ પાડી રહ્યા છે. જે અંતર્ગત ડીસા સહીત સમગ્ર બનાસકાંઠા જીલ્લામાં કોરોના કેસોમાં સતત ઘટાડો જાવા મળી રહ્યો છે. તો બીજી તરફ સોમવારે ડીસા ખાતે આવેલ અર્બન-2 માં આરોગ્યના કર્મચારી દ્વારા રસીકરણ કરાવવા માટે આવતાં લાભાર્થીઓને એક તુલસીનો છોડ આપી રસીકરણ અભિયાન હાથ ધરાયું હતું.
From – Banaskantha Update