બનાસકાંઠાનો ખેડૂત ફ્રાન્સ ખાતે સેમિનારમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે

- Advertisement -
Share

દુનિયામાં કૃષિક્ષેત્રમાં પુનર્જીવન, પરિવર્તન, ઇકોસિસ્ટમ, આરોગ્ય અને સાર્વભૌમત્વ જેવા વિષયો પર ચર્ચા અને સમસ્યાઓના નિવારણ માટે દર વર્ષે સેમિનાર યોજાય છે. જેમાં આ વર્ષે યુરોપના ફ્રાન્સ ખાતે યોજાનાર સેમિનારમાં ગુજરાતમાંથી ત્રણ લોકોની પસંદગી કરવામાં આવી જેમાંથી એક બનાસકાંઠા જિલ્લામાંથી આવે છે ત્રણેય પ્રગતિશીલ ખેડૂતો સપ્ટેમ્બર મહિનામાં ફ્રાન્સ ખાતે યોજાનાર સેમિનારમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે.

 

 

દર વર્ષે વિશ્વના કોઈ એક દેશમાં ઓર્ગેનિક વર્લ્ડ કોંગ્રેસ અંતર્ગત ખેડૂતો, વૈજ્ઞાનિકો અને સંશોધકોનો એક સેમિનાર યોજાય છે. જેમાં વિશ્વમાં કૃષિ ક્ષેત્રે થયેલા સંશોધનો, ટેકનોલોજી અને સમસ્યાઓના નિવારણ માટે ચર્ચા વિચારણા કરવામાં આવે છે. આ વર્ષે પણ યુરોપનાં ફ્રાન્સ ખાતે આગામી 6 થી 10 સપ્ટેમ્બર સુધી આ સેમિનાર યોજાનાર છે. જેમાં બનાસકાંઠા જિલ્લામાથી એકમાત્ર યસ પઢીયાર સહિત ગુજરાતમાંથી ત્રણ ખેડૂતોની પસંદગી કરાઈ છે.

આગામી 6 સપ્ટેમ્બરે તેઓ ફ્રાન્સ ખાતે યોજાનાર ઓર્ગેનિક વર્લ્ડ કોંગ્રેસ દ્વારા આયોજિત સેમિનારમાં જશે. લોકોના સ્વાસ્થ્ય માટે ગુણકારી સારું અનાજ કઈ રીતે ઉત્પન કરાય તેમજ તેમાં આવતી સમસ્યાઓનું કઈ રીતે સમાધાન થઈ શકે તેના પર પોતાના વિચાર રાજુ કરશે. યશ પઢીયારે કહ્યું હતું કે ઓર્ગેનિક વર્લ્ડ કોંગ્રેસ માટે મારી પસંદગી થઈ છે ખૂબ જ ખુશી છે અને હું ખેડૂત તરીકે ગર્વ અનુભવું છે.

 

 

બનાસકાંઠાના પાલનપુરમાં રહેતા યશ પઢિયાર પણ છેલ્લા આઠ વર્ષથી ઓર્ગેનિક ખેતી કરે છે. એટલું જ નહીં પરંતુ તેઓ ઉત્પાદન કરેલો માલ દેશ વિદેશમાં પણ વેચી રહ્યા છે. એક તરફ ખેડૂતો કૃષિ વિષયક સરકારના નિર્ણયો સામે આંદોલન કરી રહ્યા છે ત્યારે બીજી તરફ યશ પઢીયાર જેવા અનેક ખેડૂતો છે કે જેઓ પોતાનો અલગ માર્ગ બનાવી ખેડૂતો હોવાનો ગર્વ મહેસુસ કરી છે અને સાથે સાથે સ્વાસ્થ્યપ્રદ અનાજ પણ પેદા કરી રહ્યા છે.

 

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!