બનાસકાંઠામાં I.T.Iમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર ન થતાં આવેદનપત્ર આપ્યું.

- Advertisement -
Share

બનાસકાંઠામાં આઈ.ટી.આઈ.માં હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટરનો કોર્ષ કરતા અંદાજે એક હજાર જેટલા વિધાર્થીઓની એક વર્ષ વીતવા છતાં પરીક્ષા લેવાઈ નથી. ત્યારે પરિણામ ન આવતા અકળાયેલા વિધાર્થીઓએ શનિવારે કલેકટર આનંદ પટેલને આવેદનપત્ર પાઠવી આવનારી ભરતીઓમાં ફોર્મ ભરવા દેવાની માંગ કરી હતી.

[google_ad]

 

જેમાં વિધાર્થીઓએ પરિણામના અભાવે આવનારી ભરતીઓમાં ફોર્મ ભરવા દેવાની માંગ કરી હતી. નર્સિંગના વિદ્યાર્થીઓને જેમ એમ.પી.એચ. ડબ્લ્યુ અને એફ.એચ.ડબ્લ્યુની ભરતીમાં ફોર્મ ભરવાની મંજૂરી અપાઈ તેજ રીતે હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટરનો કોર્ષ કરતા વિદ્યાર્થીઓને પણ આવનારી ભરતીમાં ફોર્મ ભરવા દેવાની મંજૂરી અપાય તો તેઓનું ભાવિ ધૂંધળું ન બને તેવી માંગ કરાઈ હતી.

[google_ad]

 

 

 

ભરતભાઇ વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે, અમે ગવર્મેન્ટ આઈ.ટી.આઈ.ની અંદર હેલ્થ સેનેટરીનો કોર્ષ કરેલો છે. 2019માં અમે સંપુર્ણ તાલીમ લઇ એક વર્ષ પૂર્ણ કરેલું છે. તેમ છતાં હજુ સુધી અમારી પરીક્ષા લેવાઈ નથી અમારી એક જ સરકારમાં રજુઆત છે.

[google_ad]

Advt

અગાઉ પંચાયત વિભાગમાં એમ.પી.એચ.ડબલ્યુ.ની કોર્ષ રિલેટેડ પરીક્ષા આવે છે. જાહેરાત પડે તેમાં અમને ફોર્મ ભરવા મળે તેવી અમે સરકાર જોડે માંગણી કરીએ છીએ ,જેમાં શનિવારે રજુઆત કરવા માટે આવ્યા હતા. કલેક્ટર ઓફીસે અગાઉ જે ભરતી આવે આરોગ્ય વિભાગની એમાં અમને લાયક ગણી ફોર્મ ભરવા દે સત્વરે અમને પરીક્ષા આપવા મળે તેવી માંગ છે.

 

From – Banaskantha Update

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!