બનાસકાંઠા જીલ્લામાં કલેક્ટર કચેરીમાં ગુરૂવારે સરહદી વિસ્તારના ખેડૂતો સાથે કોંગ્રેસના તમામ ધારાસભ્યો સહીત અગ્રણીઓએ ભારત માલા પ્રોજેક્ટ ચાલતું હોઇ તેને બંધ કરાવવા માટે ખેડૂતોના હીતમાં જીલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરાઇ છે. જેમાં ભારત માલા પ્રોજેક્ટમાં ખેડૂતોની જમીન સંપાદન કરીને તેમને ખૂબ જ ઓછું વળતર આપ્યાના ધારાસભ્યોએ આક્ષેપો કર્યાં છે.
[google_ad]
જ્યારે ભારત માલા પ્રોજેકટ માટે કોન્ટ્રાક્ટરોએ અનેક ગામોના તળાવો ખોટી રીતે ખોદી નાખ્યાના ખેડૂતોએ આક્ષેપો કર્યાં છે. ભારત માલા પ્રોજેક્ટને લઇને અનેક ખેડૂતો બેહાલ થઇ જશે તેવી ધારાસભ્યોએ ચિંતા વ્યક્ત કરી રજૂઆત કરી છે. જો ખેડૂતોને યોગ્ય વળતર નહી મળે અને યોગ્ય કામ નહી થાય તો કામ બંધ કરાવવાની અને હાઇકોર્ટમાં જવાની ધારાસભ્યોએ ચિમકી ઉચ્ચારી છે.
[google_ad]
ભારત માલા પ્રોજેક્ટને લઇને અનેક ખેડૂતો બેહાલ થઇ જશે તેવી ધારાસભ્યોએ ચિંતા વ્યક્ત કરી રજૂઆત કરી છે. જો ખેડૂતોને યોગ્ય વળતર નહી મળે અને યોગ્ય કામ નહી થાય તો કામ બંધ કરાવવાની અને હાઇકોર્ટમાં જવાની ધારાસભ્યોએ ચિમકી ઉચ્ચારી છે. આ પ્રસંગે થરાદ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત, વાવ ધારાસભ્ય ગેનીબેન ઠાકોર, દિયોદર ધારાસભ્ય શિવાભાઇ ભુરીયા, ધાનેરા ધારાસભ્ય નથાભાઇ પટેલ, પાલનપુર ધારાસભ્ય મહેશ પટેલ સહીત કોંગ્રેસના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
[google_ad]
આ અંગે ખેડૂતોએ જણાવ્યું હતું કે, ‘ખેડૂતો સાથે કોંગ્રેસના તમામ ધારાસભ્યો અને અગ્રણીઓએ નારા સાથે રોયલ્ટીની ચોરી બંધ કરો ખેડૂતોને પૂરેપૂરો ન્યાય વળતર આપો. જેમાં મટીરીયલનું મોટું કામ તેના લોકલ માણસને અપાય તેવી માંગ કરાઇ છે. જ્યારે નારા સાથે સ્થાનિકોને રોજગારી આપો તેવા સૂત્રોચ્ચાર કર્યાં છે.’
[google_ad]
From – Banaskantha Update