સાસરિયાંએ 2 દીકરીને છીનવી લઇ માતાને ઘરમાંથી હાંકી કાઢતાં 181 અભિયમે માતા-પુત્રીનું મિલન કરાવ્યું

- Advertisement -
Share

વડગામના એક ગામમાં સાસરીયાઓએ 2 દીકરીને છીનવી લઇ માતાને ઘરમાંથી હાંકી કાઢી હતી. મહિલાએ 181 અભિયમની મદદ લેતાં ટીમે સાસરીયાઓને સમજાવી માતા- દીકરીઓનું સુખદ મિલન કરાવ્યું હતુ.આ અંગે બનાસકાંઠા 181 અભિયમ મહિલા હેલ્પ લાઇનના કાઉન્સેલર લક્ષ્મીબેન સોલંકીએ જણાવ્યું હતુ કે, વડગામ નજીક આવેલા એક ગામમાં રહેતા પરિવારમાં વારંવાર ઝઘડો થતો હોઇ 9 માસ અને 3 વર્ષની દીકરીને છીનવી લઇ તેની માતાને એક દિવસ અગાઉ ઘરમાંથી હાંકી કાઢી હતી. જે પોતાના પિયરમાં ગઇ હતી.

 

 

જોકે, બાળકીઓની યાદ આવતાં તેણીને 181 અભિયમની મદદ માંગી હતી. આથી મહિલા પોલીસ કોન્સ્ટેબલ વર્ષાબેન મહેતા સાથે તેના ઘરે ગયા હતા. જ્યાંથી પિયરમાં લઇ જઇ તેના પતિ સહિત સાસરીપક્ષના સભ્યોને સમજાવ્યા હતા. અને બંને દીકરીઓ અને માતાનું મિલન કરાવ્યું હતુ.

આ અંગે પરિણીતાના પતિએ 181ની ટીમ સમક્ષ જણાવ્યું હતુ કે, હાલમાં તેની પત્નિની તબિયત સારી ન હોવાથી પિયરમાં રહેવાનું કહ્યું છે. જ્યાંથી સપ્તાહ પછી સમાજના અગ્રણીઓ સાથે જઇ સાસરીમાં લાવવામાં આવશે.

From – Banaskantha update 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!