થરાદની SBI બેંક દ્વારા ખેડૂતોને પાક ધિરાણ રીન્યુ ન કરી આપતાં ખેડૂતોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. ત્યારે ખેડૂતોએ પાક ધિરાણની રકમ અને વ્યાજ પૂરેપૂરુ ચૂકવી દીધું હોવા છતાં બેંક ખેડૂતોને થોડી જ રકમની લોન આપવાનું કહેતાં ખેડૂતોમાં રોષની લાગણી ભભૂકી ઉઠી છે. બેંકના કર્મચારીઓ અને અધિકારીઓ દ્વારા ખેડૂતોને હેરાન પરેશાન કરવાના આક્ષેપો થઇ રહ્યા છે. ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો દરરોજ બેંકમાં ધરમ ધક્કા ખાઇ રહ્યા છે.
બનાસકાંઠા જીલ્લાના થરાદ તાલુકાની SBI બેંક દ્વારા ખેડૂતોને પાક ધિરાણ રીન્યુ ન કરી આપતાં ખેડૂતોમાં રોષની લાગણી ભભૂકી ઉઠી છે. ત્યારે ખેડૂતોએ પાક ધિરાણની રકમ અને વ્યાજ પૂરેપૂરુ ચૂકવી દીધું હોવા છતાં બેંક ખેડૂતોને થોડી જ રકમની લોન આપવાનું કહેતાં ખેડૂતોમાં રોષ ભભૂક્યો છે. બેંકના કર્મચારીઓ અને અધિકારીઓ દ્વારા ખેડૂતોને હેરાન-પરેશાન કરવાના આક્ષેપો થઇ રહ્યા છે. ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો દરરોજ બેંકમાં ધરમ ધક્કા ખાઇ રહ્યા છે.
આ અંગે ખેડૂતોએ આક્રોશ ઠાલવતાં જણાવ્યું હતું કે, ‘થરાદ તાલુકાની SBI બેંક દ્વારા ખેડૂતોને પાક ધિરાણ રીન્યુ ન કરી આપતાં ખેડૂતોમાં રોષની લાગણી ભભૂકી ઉઠી છે. ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો દરરોજ બેંકમાં ધરમ ધક્કા ખાઇ રહ્યા છે. જો આ ખેડૂતોનો SBI બેંકના અધિકારીઓ દ્વારા આ પ્રશ્ર હલ નહી થાય ખેડૂતો એક સંગઠન થઇ ધરણાં પર ઉતરશે અને ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરશે તેવી ચિમકી ઉચ્ચારી છે.’
From – Banaskantha Update