થરાદમાં આવેલી કરીયાણા, વાસણ ભંડાર, શાકભાજી, મીઠાઇ અને ફરસાણ સહીતની દુકાનોમાં બુધવારે તોલમાપ વિભાગના અધિકારીઓની ટીમે અચાનક ઓચિંતા દરોડાથી વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે. જેમાં 35 દુકાન માલિકો પાસેથી રૂ.50,500નો દંડ વસૂલ કરાયો હતો. જ્યારે તોલમાપના નિયમોનો ભંગ કરનાર વેપારીઓ સામે કડક કાર્યવાહી હાથ ધરી છે.
થરાદ તોલમાપ વિભાગની ટીમે ઓચિંતો દરોડો પાડતાં અન્ય તત્વોમાં ફફડાટ ફેલાયો હતો. બનાસકાંઠા જીલ્લાના થરાદ શહેરમાં આવેલી કરીયાણા, વાસણ ભંડાર, શાકભાજી, મીઠાઇ અને ફરસાણ સહીતની દુકાનોમાં બુધવારે તોલમાપ વિભાગના અધિકારીઓની ટીમે અચાનક ઓચિંતો દરોડો પાડતાં વેપારી આલમમાં સન્નાટો ફેલાઇ ગયો હતો. જેમાં 35 દુકાન માલિકો પાસેથી રૂ.50,500નો દંડ વસૂલ કરાયો હતો. જ્યારે તોલમાપના નિયમોનો ભંગ કરનાર વેપારીઓ સામે કડક કાર્યવાહી હાથ ધરાઇ હતી.
From – Banaskantha Update