ભાભરમાં ગંજ બજારના પૂર્વ ચેરમેન લાલજી પટેલ સામે પીડીત મહીલા ન્યાય મેળવવા હનુમાનજીના મંદિરે ઉપવાસ પર ઉતરી

- Advertisement -
Share

ભાભર ગંજ બજારના પૂર્વ ચેરમેન લાલજી પટેલ જાગૃત નેતા અને હાલના મહીલા ચેરમેનના પતિ છે. આ લાલજી પટેલ હોશિયાર અને જાગૃત હોવા છતાં છેક પંચમહાલ જીલ્લા અને હાલ અમદાવાદ રહેતી મહીલા દ્વારા છેતરાઇ ગયા હતા. મહીલાએ લાખો રૂપિયા પડાવી લીધા અને જાણે હનીટ્રેપનો ભોગ બન્યા હોય તેવી ફરિયાદ નોંધાવી હતી.

 

 

 

 

જ્યારે પીડીત મહીલા ક્રિષ્નાબેન માંડવીયાએ ન્યાય મેળવવા ભાભર માર્કેટયાર્ડના હનુમાનજીના મંદિરે ઉપવાસ ઉપર ઉતરતાં ભાભર પોલીસે કરી અટકાયત કરી છે. ભાભર માર્કેટયાર્ડના પૂર્વ પ્રમુખ અને વર્તમાન પ્રમુખના પતિ લાલજી પટેલ ઉપર મહીલાએ ગંભીર આક્ષેપ કર્યાં છે. લાલજી પટેલે મહીલાને સાચવવા અને તમામ જવાબદારી પોતાના શિરે લઇ સબંધ બનાવ્યા તે મહીલાએ ખુલાસો કર્યો છે. જોકે, મહીલાએ પૂરાવાના ભાગરૂપે પોતાના અને લાલજી પટેલના ફોટા રજૂ કરતાં મધુર સબંધનો અંત આવતાં અનેક સવાલો ઉભા થયા છે.

 

 

 

 

આ ચકચારી ઘટનાની વિગત એવી છે કે, બનાસકાંઠા જીલ્લાના ભાભર ગંજ બજારમાં હાલ મહીલા ચેરમેન પદે છે. આ પહેલાં મહીલાના પતિ લાલજી પટેલ ચેરમેન તરીકે હતા. લાલજી પટેલનો ભાભર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં દબદબો છે. હવે જાગૃત નેતા એવા લાલજી પટેલ બ્યુટી પાર્લર ચલાવતી મહીલા દ્વારા છેતરાયા હોવાનું જણાવી ભાભર પોલીસને ફરીયાદ કરી છે. જેમાં મૂળ પંચમહાલ જીલ્લા અને કેટલાંક સમયથી અમદાવાદ રહેવા આવેલી મહીલા સાથે કોઇ માધ્યમથી સંપર્કમાં આવી છેતરપિંડીનો ભોગ કેવી રીતે બન્યા તે સવાલ ચકાસવા મોટા ખૂલાસા થઇ રહ્યા છે.

 

 

 

 

ભાભર પોલીસે આરોપી મહીલાની અટકાયત કરી કોર્ટના હુકમથી જામીન ઉપર મુક્ત કરી હતી. જેવા જામીન મળ્યા એવા જ કથિત મધુર સબંધનો ઘટનાક્રમ સામે આવ્યો હતો. મહીલાએ સ્પષ્ટ શબ્દોમાં જાહેરમાં આક્ષેપ કરતાં જણાવી દીધું હતું કે, લાલજી પટેલ સાથે લીવ ઇન રીલેશન એટલે કે, મધુર સબંધમાં રહેતાં હતા. આ લાલજી પટેલ અનેકવાર પોતાના ઘરે આવતાં તેમજ મહીલાના બાળકો સાથે જાણે પિતા જેવો વ્યવહાર પણ કરતાં હોવાનો આધાર બતાવવા ફોટા રજૂ કર્યાં હતા.

 

 

 

 

ત્યારે આજે પીડીત મહીલા ક્રિષ્નાબેન માંડવીયાએ લાલજીભાઈ પટેલ સામે ન્યાય મેળવવા માટે ભાભર માર્કેટયાર્ડના હનુમાનજીના મંદિરે ઉપવાસ ઉપર ઉતર્યા હતા પરંતુ તેમની ભાભર પોલીસે અટકાયત કરી લીધી હતી. ભાભર માર્કેટયાર્ડના પૂર્વ પ્રમુખ અને વર્તમાન પ્રમુખના પતિ લાલજી પટેલ ઉપર મહીલાએ ગંભીર આક્ષેપ કર્યાં. લાલજી પટેલે મહીલાને સાચવવા અને તમામ જવાબદારી પોતાના શિરે લઇ સબંધ બનાવ્યા તેવો મહીલાએ ખુલાસો કર્યો. જોકે, મહીલાએ પૂરાવાના ભાગરૂપે પોતાના અને લાલજી પટેલના ફોટા રજૂ કરતાં મધુર સબંધનો અંત આવતાં અનેક સવાલો ઉભા થયા છે.

 

આ પણ વાંચો : ભાભરમાં જાગૃત નેતાએ મહિલા પર છેતરપીંડીની ફરીયાદ કરી પરંતુ મહિલાએ તસ્વીરો બતાવી આક્ષેપ કર્યો કે તેઓ બંને મધુર સબંધમાં છે

 

 

આ તમામ સવાલો વચ્ચે એકવાત મુંજવણમાં મુકે તેવી છે કે, જાગૃત નેતા લાલજી પટેલ અમદાવાદ રહેતી મહીલા દ્વારા કેમ છેતરાઇ ગયા ..? હાલ તો ભાભર પોલીસ લાલજી પટેલની ફરિયાદ આધારે મહીલા સામે પૂરાવા એકત્રિત કરી કાયદેસરની કાર્યવાહીમાં છે. જ્યારે હવે જામીન ઉપર મુક્ત થયેલી મહીલાએ કથિત સબંધનો ઘટસ્ફોટ કર્યા બાદ પીડીત મહીલા ક્રિષ્નાબેન માંડવીયાએ ન્યાય મેળવવા ભાભર માર્કેટયાર્ડના હનુમાનજીના મંદિરે ઉપવાસ ઉપર ઉતરતાં ભાભર પોલીસે કરી અટકાયત કરી છે. ભાભર માર્કેટયાર્ડના પૂર્વ પ્રમુખ અને વર્તમાન પ્રમુખના પતિ લાલજી પટેલ ઉપર મહીલાએ ગંભીર આક્ષેપ કર્યાં છે. લાલજી પટેલે મહીલાને સાચવવા અને તમામ જવાબદારી પોતાના શિરે લઇ સબંધ બનાવ્યા તે મહીલાએ ખુલાસો કર્યો છે.

 

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!