કોવિડ-19 ને નોવેલ કોરોના વાયરસ ડબ્લયુ.એચ.ઓ. દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવેલ છે. આ સબંધમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા સમયાંતરે સુચનાઓ તેમજ માર્ગદર્શિકાઓ બહાર પાડવામાં આવેલ છે. ગૃહ મંત્રાલય, ભારત સરકારના તા.29/04/2021 ના હુકમથી કોરોના સંક્રમણને રોકવા અદ્યતન સુચનાઓ આપવામાં આવેલ છે. રાજ્યમાં કોવિડ-19 ના સંક્રમણની બાબતે ધ્યાને લેતાં રાજ્ય સરકાર દ્વારા ગૃહ વિભાગના તા.27/05/2021 ના હુકમથી રાજયમાં કેટલાંક નિયંત્રણો મુકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજયમાં વર્તમાન પરિસ્થિતિની પુનઃસમીક્ષા કરતાં પુખ્ત વિચારણાને અંતે ગૃહ વિભાગના તા.20/05/2021 ના હુકમથી સમગ્ર રાજયમાં નિયંત્રણો લાગુ કરવામાં આવેલ છે. જે નિયંત્રણોની અવધિ સરકારના ગૃહ વિભાગના તા.02/06/2021 હુકમથી તા.04/06/2021 ના 06:00 કલાકથી તા.11/06/2021 ના સવારના 06:00 કલાક સુધી લંબાવવામાં આવેલ છે. જે મુજબ બનાસકાંઠા જીલ્લા માટેના નિર્દેશો બહાર પાડવા ઉચિત જણાય છે.
બનાસકાંઠા જીલ્લા મેજીસ્ટ્રેટ આનંદ પટેલ-(આઇ.એ.એસ.)-પાલનપુરને ફોજદારી કાર્યરીતી અધિનિયમ-1973 ની કલમ-144, ગુજરાત પોલીસ એક્ટની કલમ-43, ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમ-34 તથા ધ ગુજરાત એપેડેમીક રેગ્યુલેશન-2020 અન્વયે મળેલ સત્તાની રૂએ નીચે મુજબના નિર્દેશોનું પાલન કરવા ફરમાવ્યું છે.
(1) અઠાડીક ગુજરી/બજાર/હાટ, શૈક્ષણિક સંસ્થા અને કોચીંગ સેન્ટરો (ઓનલાઇન શિક્ષણ સિવાય), સિનેમા થિયેટરો, ઓડીટોરીયમ, એસેમ્બલી હોલ, વોટર પાર્ક, જાહેર બાગ બગીચા, મનોરંજન સ્થળો, જીમ, સ્પા અને સ્વિમીંગ પુલ બંધ રહેશે.
(2) લગ્ન માટે ખુલ્લા અને બંધ સ્થળોએ મહત્તમ 50 વ્યક્તિઓની મંજૂરી રહેશે. લગ્ન માટે ડીઝીટલ ગુજરાત પોર્ટલ પર નોંધણીની જાગવાઇ યથાવત રહે છે.
(3) અંતિમ ક્રિયા અને દફનવિધી માટે મહત્તમ 20 વ્યક્તિઓની મંજૂરી રહેશે.
(4) સરકારી, અર્ધ સરકારી, બોર્ડ, કોર્પોરેશન, બેંક, ફાયનાન્સ ટેક સબંધિત સેવાઓ, કેશ ટ્રાન્ઝેકશન સેવાઓ, બેંકોનું ક્લીયરીંગ હાઉસ, એ.ટી.એમ./સી.ડી.એમ. રીપેરર્સ, સ્ટોક એક્સચેન્જ, સ્ટોક બ્રોકર, ઇસ્યોરન્સ કંપનીઓ અને તમામ પ્રકારની ખાનગી ઓફીસોમાં કર્મચારીઓની હાજરીની સંખ્યા 50% સુધી સુનિશ્ચિત કરવાની રહેશે. આવશ્યક સેવાઓને આ જાગવાઇ લાગુ પડશે નહી.
(5) તમામ પ્રકારના રાજકીય, સામાજીક, ધાર્મિક,સાંસ્કૃતિક, શૈક્ષણિક, કાર્યક્રમો અને મેળાવડાઓ સદંતર બંધ રહેશે.
(6) પ્રેક્ષકોની ઉપસ્થિતિ વગર સ્પોર્ટસ કોમ્પલેક્ષ, સ્પોર્ટસ સ્ટેડીયમ અને સંકુલમાં પ્રેક્ષકો વગર રમત-ગમત ચાલુ રાખી શકાશે.
(7) તમામ ધાર્મિક સ્થાન જાહેર જનતા માટે બંધ રહેશે. ધાર્મિક સ્થાનો ખાતેની દૈનિક પૂજા/વિધી ધાર્મિક સ્થાનોના સંચાલકો અને પૂજારીઓ દ્વારા જ કરવાની રહેશે.
(8) પબ્લિક બસ ટ્રાન્સપોર્ટ મહત્તમ 50% પેસેન્જર કેપેસીટીમાં ચાલુ રહેશે.
(9) અન્ય રાજ્યોમાંથી ગુજરાતમાં પ્રવેશ કરતાં મુસાફરોને આર.ટી.સી.આર. ટેસ્ટ સબંધમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા આપવામાં આવેલ સુચનાઓ લાગુ રહેશે.
(10) તમામ ફેસ કવર, માસ્ક અને સોશિયલ ડીસ્ટન્સીંગનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.
સરકારી કામગીરી માટે જરૂરત હોય તે સેવા, પ્રવૃતિની કામગીરી સાથે સંકળાયેલ વ્યકિતઓ અને સરકારી ફરજ ઉપરના પોલીસ સહીતના તમામ કર્મચારી અને અધિકારીઓને લાગુ પડશે નહીં. આ જાહેરનામું તા.04/06/2021 થી તા.11/06/2021 સુધી સમગ્ર બનાસકાંઠા જીલ્લાના વિસ્તારમાં લાગુ પડશે.