અંબાજીમાં પ્રધાનમંત્રીના આગમનને લઇ તંત્ર સજ્જ

- Advertisement -
Share

રૂ. 7,908 કરોડના અલગ-અલગ વિકાસ કાર્યોનું ખાતમૂહુર્ત અને લોકાર્પણ કરશે

 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી તા. 30 મી સપ્ટેમ્બરે માં અંબાના દર્શન કરવા બનાસકાંઠામાં આવેલા વિશ્વ વિખ્યાત અને પવિત્ર યાત્રાધામ અંબાજીમાં પહોંચી રહ્યા છે.
ત્યારે વડાપ્રધાનની આગમનની તૈયારીઓને લઇ તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે. તા. 30 મી સપ્ટેમ્બરે બપોરે 4-00 વાગ્યા આજુબાજુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડગામ તાલુકાના હાતાવાડા ગામમાં તૈયાર
થયેલા હેલિપેડ પર ઉતરશે અને તે બાદ બાય રોડ અંબાજી જવા રવાના થશે. ત્યારે તંત્ર દ્વારા રસ્તામાં આવતાં અનેક ગામો આગળ 12 જેટલાં પોઇન્ટ તૈયાર કરાયા છે.
જ્યાં ગ્રામજનો ઉભા રહી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું અભિવાદન કરશે. વડાપ્રધાન લોકોનું અભિવાદન ઝીલતા ઝીલતા અંબાજીના ચીખલામાં સભા સ્થળે પહોંચશે.
જ્યાં રૂ. 7,908 કરોડના અલગ-અલગ વિકાસ કાર્યોનું ખાતમૂહુર્ત અને લોકાર્પણ કરશે. તે બાદ ઉમટેલી જનમેદનીને સંબોધી વડાપ્રધાન ત્યાંથી માં અંબાના દર્શન કરવા અંબાજી મંદિરમાં પહોંચશે અને અંબાજી
મંદિરમાં પહોંચી માં અંબાને શિશ ઝૂકાવી મહાઆરતીમાં ભાગ લેવા ગબ્બરમાં પહોંચશે. ત્યારે વડાપ્રધાનને બનાસકાંઠામાં આવકારવા તંત્ર તમામ પ્રકારની તૈયારીઓથી સજ્જ થતું જોવા મળી રહ્યું છે.

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!