અંબાજી-દાંતાના નવિન ફોરલેન રોડ પર શિલાઓ ખરી પડતા લોકોમાં રોષ : માર્ગ કામમાં ગંભીર બેદરકારી આવી સામે

- Advertisement -
Share

અંબાજી-દાંતા માર્ગ પર પહાડો કાપી નવિન ફોરલેનની કામગીરી હાથ ધરાઇ હતી. જેમાં ફોરલેન નવિન રોડ કરોડો રૂપિયાના ખર્ચે બન્યો છે. શિલાઓ રોડ પર ખડી પડી રહી છે. પરંતુ પહાડો કાપ્યા બાદ કોઇ જ શિલાઓની હટાવવાની કામગીરી ન કરાતાં લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. આગામી સમયમાં ચોમાસુ બેસવાની તૈયારીમાં છે ત્યારે આ માર્ગ જોખમી બની શકે છે. ત્યારે શિલાઓ રોડ પર પડી છે તેને તાત્કાલીક હટાવવાની કામગીરી નહી કરાય તો આગામી સમયમાં અકસ્માતના બનાવમાં વધારો તેમજ જોખમી માર્ગ બની શકે તેમ છે.

બનાસકાંઠા જીલ્લાના અંબાજી-દાંતા માર્ગ પર પહાડો કાપી નવિન ફોરલેનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં ગુજરાત સરકાર દ્વારા કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવતાં માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ તેમના કોન્ટ્રાક્ટર દ્વારા કામગીરી આપવામાં આવે છે. જ્યારે ફોરલેનની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

 

 

ત્યારે કોન્ટ્રાક્ટર કે માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ તપાસ અર્થે ફરક્યા નથી ત્યારે આવી મોટી ભૂલ થઇ છે. જો આ નવિન ફોરલેન રોડની તપાસ થાય તો ગેરરીતી આચરી હશે તેવું બહાર આવી શકે તેમ છે. જેમાં ફોરલેન નવિન રોડ કરોડો રૂપિયાના ખર્ચે બન્યો છે. શિલાઓ રોડ પર ખડી પડી રહી છે. પરંતુ પહાડો કાપ્યા બાદ કોઇ જ શિલાઓની હટાવવાની કામગીરી ન કરાતાં લોકોમાં આક્રોશ ભભૂકી ઉઠ્યો છે.

 

આગામી સમયમાં ચોમાસુ બેસવાની તૈયારીમાં ત્યારે આ માર્ગ જોખમી બની શકે છે. ત્યારે શિલાઓ રોડ પર ખડી તેને તાત્કાલીક હટાવવાની કામગીરી નહી કરાય તો આગામી સમયમાં અકસ્માતની ઘટનામાં વધારો થવાની શક્યતા સેવાઈ રહી છે. ત્યારે આ નવિન ફોરલેન રોડની પહાડોની શિલાઓની તાત્કાલીક તપાસ થાય તેવી અંબાજી-દાંતાના રહીશોની માંગ ઉઠી છે.

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!