રાજ્ય સરકાર દ્વારા ટેસ્ટીંગ, ટ્રેસીંગ અને ટ્રીટમેન્ટ પર ભાર મુકવામાં આવ્યો છે ત્યારે બનાસકાંઠા જિલ્લા કલેકટર આનંદ પટેલના માર્ગદર્શન અને સુચના પ્રમાણે વહીવટી તંત્ર દ્વારા દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે કોલેજ ઓફ વેટનરી સાયન્સ એન્ડ એનીમલ હસબન્ડરી વિભાગમાં કોવિડ-19 આર.ટી.પી.સી.આર લેબોરેટરી શરૂ કરવામાં આવી છે.
બનાસકાંઠા કલેકટર આનંદ પટેલે કોરોના ટેસ્ટ માટેની આ લેબને શરૂ કરાવી હતી. આ પ્રસંગે કલેકટરએ જણાવ્યું કે, બનાસકાંઠા જિલ્લો વસતી અને વિસ્તારની દ્રષ્ટિએ ખુબ મોટો છે અત્યારે જિલ્લામાં માત્ર બનાસ મેડીકલ કોલેજ મોરીયા ખાતે કોરોના આર.ટી.પી.સી.આર. માટેની લેબોરેટરી છે અને જેમાં 2 ટેસ્ટીંગ મશીનો ઉપલબ્ધ છે.
ત્યાં લોડ વધારે રહેતો હોવાથી દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તાત્કાલીક અસરથી કોરોના આર.ટી.પી.સી.આર. ટેસ્ટીંગ લેબ શરૂ કરવામાં આવતા આર.ટી.પી.સી.આર. ટેસ્ટનું પરિણામ હવે ઝડપથી મળશે તેમ તેમણે જણાવ્યું હતું.
From – Banaskantha Update