રૂવાંટા ઉભા કરી દેવો અકસ્માત : ટ્રક પાછળ ગાડી ઘુસી જતા યુવતીનું માથુ ધડથી અલગ, 3ના કરુણ મોત

- Advertisement -
Share

અમદાવાદ-વડોદરા નેશનલ હાઈવે પર નડિયાદ પાસે આજે બંધ ટ્રક પાછળ ઈકો કાર ઘૂસી જતાં હાઈવે મરણચીસોથી ગુંજી ઊઠ્યો હતો. અકસ્માતમાં ત્રણ લોકોનાં મોત અને 5 લોકો ઘાયલ થયા છે. નડિયાદ પાસે આજે બનેલી ઘટનાએ થોડા દિવસ પહેલાં આણંદ પાસે બનેલી અકસ્માતની ઘટનાની યાદ તાજી કરાવી દીધી હતી.

 

આજે બપોરના સમયે અમદાવાદ-વડોદરા નેશનલ હાઈવે પર નડિયાદ પાસે રોડની સાઈડમાં બંધ પડેલી ટ્રકમાં એક ઈકો કાર ધડાકાભેર અથડાઈ હતી, જેને કારણે કારના ફુરચા ઊડી ગયા હતા. કારની અંદર સવાર 3નાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં છે, જ્યારે 5 લોકો ઈજાગ્રસ્ત થતાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. મૃતકોમાં એક મહિલા અને બે કિશોરી છે.

 

 

મૃતક
1.) ટીશાબેન હરીશભાઈ સોની (ઉ. વ. 41)
2.) જીકીશાબેન હરીશભાઈ સોની (ઉ. વ. 15)
3.) નૈયનાબેન નારણભાઈ સોની (ઉ. વ. 17)

ઈજાગ્રસ્ત
1.) હરીશભાઈ કેશમરલજી સોની (ઉ. વ. 45, ચાલક)
2.) લાખસિંહ હરીશભાઈ સોની (ઉ. વ. 10)
3.) યશકુમાર હરીશભાઈ સોની (ઉ. વ. 4)
4.) મીરાબેન કેશમરલજી સોની (ઉ. વ. 75)
5.) જીગરભાઈ નારણભાઈ સોની (ઉ. વ. 15)

 

આણંદ તારાપુર હાઇવે પર ઇન્દ્રણજ નજીક સવારે 6.20 વાગ્યે ટ્રક અને ઇકો વચ્ચે અકસ્માત થયો હતો. અકસ્માતમાં 9 જેટલાં લોકોનાં મોત થયાં હતાં. ઈકોમાં સવાર અજમેરી પરિવાર જલગાંવથી ભાવનગર તરફ જઈ રહ્યો હતો, એ સમયે ટ્રકચાલકને ઝોકું આવી જતાં ટ્રક ઇકો સાથે અથડાઈ હતી. બે બાળકો સહિત 9 લોકોનાં મોત થતાં મૃતકોના ગામ વરતેજ અને તારાપુર સહિતના પંથકમાં અરેરાટી વ્યાપી ગઇ હતી.

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!