અમીરગઢ તાલુકાના ધનપુરા ગામે ગામ દૂધ મંડળી ડેરી અને ગુજરાત ક્ષત્રીય ઠાકોરસેના દ્વારા સંપૂર્ણ ગામને સેનેટાઇઝ કરવામાં આવ્યું. ધનપુરા ગામના આગેવાન અરવિંદ ઠાકોરે જણાવ્યું હતું કે જિલ્લામાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે. જેથી ગ્રામ્ય વિસ્તારોમાં પણ કોરોના સંક્રમણ વધવા લાગ્યું છે. જેને લઈ આજે ધનપુરા ગામને સેનેટાઇઝ કરવામાં આવ્યું છે.
બનાસકાંઠા જિલ્લામાં કોરોના સંક્રમણ વધવા લાગ્યું છે. જિલ્લામાં દિનપ્રતિદિન કોરોના પોઝિટિવ કેસોમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. કોરોના સંક્રમણની ચેન તોડવા તંત્ર દ્વારા પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે. જેને ધ્યાને લઇ બનાસકાંઠા જિલ્લાના મોટાભાગના શહેરો અને ગામો સ્વયંભૂ બંધ રાખી રહ્યાં છે. જેથી કરીને કોરોના સંક્રમણ જિલ્લા તેમજ ગામોમાં ઘટાડી શકાય.
From – Banaskantha Update