બનાસકાંઠા જિલ્લામાં કોરોના કહેર વર્તાવી રહ્યો છે. કોરોનાની ચેન તોડવા જિલ્લાના અનેક ગામો શહેરો સ્વયંભૂ બંધ પાળી રહ્યાં છે. કોરોના મહામારીને અટકાવવા માટે બનાસકાંઠા જિલ્લામાં 10 મે સુધી સુપર સ્પ્રેડર લોકોને કોરોના રસી આપવામાં આવશે. જેમાં લારી ગલ્લાવાળા, રિક્ષાચાલકો, ટેક્સી ચાલકો, દુકાનદાર, શાકભાજીવાળાને રસી અપાશે.
પરંતુ બનાસકાંઠા જિલ્લામાં 10 તારીખ સુધી સુપર સ્પ્રેડર લોકોને રસી આપવામાં આવશે. તેમ અધિક જિલ્લા આરોગ્ય અધિકારી જીગ્નેશ હરિયાણી જણાવ્યું હતું. અત્યારે બનાસકાંઠા જિલ્લામાં 18 વર્ષથી ઉપરના 16.94 લાખ લોકો છે. જે તમામને પહેલી મેથી રસી આપવાનો પ્રારંભ કરવાનો હતો. 1 થી 10 તારીખ સુધી સુપર સ્પ્રેડર લોકોને રસી આપવામાં આવશે.
આ સુપર સ્પ્રેડર લોકોમાં લારી ગલ્લાવાળા, રિક્ષાચાલકો, ખાનગી ટેક્સી ચાલકો, દુકાનદાર, શાકભાજીવાળા, વેપારીઓ મળી સંખ્યા કુલ 1.5 લાખ જેટલી છે. એટલે કે આગામી 10 તારીખ સુધીમાં 1.5 લાખ લોકોને સૌપ્રથમ રસીનો ડોઝ આપવામાં આવશે. બાદ તમામ લોકોને રસી આપવાની શરૂઆત કરાશે તેમ અધિક જિલ્લા આરોગ્ય અધિકારી જીગ્નેશ હરિયાણીએ જણાવ્યું હતું.
From – Banaskantha Update