ડીસા શહેરમાં વધતા જતા કોરોના વાયરસના કેસોને અટકાવવા માટે બનાસકાંઠા જિલ્લાનું વહીવટીતંત્ર અસરકારક કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે વહીવટી તંત્રને સહકાર આપવા માટે અનેક સેવાભાવી સંસ્થાઓ પણ આગળ આવી રહી છે.
કોરોના સંક્રમણ અટકાવવા માટે આયુર્વેદિક ઉપચાર કેન્દ્ર દ્વારા ઉકાળાનું વિતરણ કરવામાં આવી રહ્યૂ છે ત્યારે ડીસા શહેરમાં ભવ્ય ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કોરોના વાયરસથી લોકોને બચાવા માટે અલગ નુસખો અપનાવ્યો છે.
ભવ્ય ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ધરેલું ઉપચાર અંતર્ગત ઓક્સીજન લેવલ વધારવા માટે કપુર, રાઈ, મીઠું, અજમો, તુલસીના પાન અને લવિંગ આ તમામ વસ્તુઓનું મિશ્રણ કરીને કપડાંની પોટલી’ બનાવીને ડીસા શહેરમાં વિતરણ કરવામાં આવી રહી છે.
જેનાથી લોકોનું ઓકિસજન લેવલ વધારવા માટે મદદરૂપ થાય છે ત્યારે ભવ્ય ચેરીટેબલ ટ્રસ્ટની અલગ પ્રકારનો નુસ્ખો અપનાવ્યો છે ત્યારે આ પ્રકારની ભવ્ય ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ડીસા ઉતર પોલીસ સ્ટેશન અને તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓ અને સાંઈબાબા મંદિર ખાતે ઉપસ્થિત લોકોને વિતરણ કરવામાં આવ્યું હતું.
From – Banaskantha Update