બનાસકાંઠા જિલ્લાના મથક પાલનપુરમાં સ્વયંભૂ બંધ રાખવાનો મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો છે. વેપારી એસોસીએશન અને ચીફ ઓફિસર વચ્ચે મળેલી બેઠકમાં શનિવાર તેમજ રવિવારે પાલનપુર સ્વૈચ્છિક બંધ પાળશે તેવી જાહેરાતો થઇ હતી, પરંતુ આ જાહેરાતનો અમલ ક્યાંક અમુક અંશે થયો હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.
બનાસકાંઠા જિલ્લામાં પાલનપુરમાં કોરોના કેસમાં દિન-પ્રતિદિન વધારો થતો જોવા મળી રહ્યો છે. જિલ્લા મથક પાલનપુરમાં વધતા આ કેસના પગલે વેપારી એસોસીએશન અને ચીફ ઓફિસરની મીટિંગમાં શનિવાર તેમજ રવિવારે પાલનપુર સ્વૈચ્છિક બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ નિર્ણયને મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો છે. બંધ માટેની સુચનાઓ છતાં પાલનપુરમાં કયાંક દુકાનો ચાલુ રહી તો કયાંક બંધ જોવા મળી હતી.
અમુક વેપારીઓ બંધ પાળવા માટે સહમત તો છે પરંતુ પાલનપુર શહેરના અમુક વેપારીઓ આર્થિક નુકશાન થતું હોવાની વાતને લઇ વેપારીઓ આ બંધને માન્ય રાખવા તૈયાર નથી.
From – Banaskantha Update